કોમોડિટી રિપોર્ટ: અલ નિનોની અસર રહેતા મોટાભાગના પાકને નુકસાન | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી રિપોર્ટ: અલ નિનોની અસર રહેતા મોટાભાગના પાકને નુકસાન

ખુલ્લા બજારમાં સરકાર ચણા વેચશે. સરકાર 10 લાખ ટન ચણાનું વેચાણ કરશે. દેશના બજારોમાં કિંમત MSPની ઉપર નીકળી છે. સરકાર ચણાની કિમતો ઓછી કરવા ઇચ્છે છે. ચણાની MSP ₹5335 ક્વિંટલ નક્કી છે. કુલ કઠોળ ઉત્પાદનમાં ચણાનો 50% ભાગ છે.

અપડેટેડ 12:13:52 PM Aug 25, 2023 પર
Story continues below Advertisement
કોમોડિટી રિપોર્ટ: કઠોળની વધતી મોંઘવારી રોકવા કેન્દ્ર સરકાર તરફથી ઘણા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. અલ-નિનોની ક્યાં પાક પર કેટલી અસર રહી

આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાસ કરીને અલ નિનોની અસર રહેતા મોટાભાગના પાકને નુકસાન થયું છે, તો સાથે જ કઠોળની વધતી મોંઘવારી રોકવા કેન્દ્ર સરકાર તરફથી ઘણા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. અલ-નિનોની ક્યાં પાક પર કેટલી અસર રહી, વાવણીની સ્થિતિ કેવી છે અને ખાસ કરીને આગળ હવે ચણાનું આઉટલૂક કેવું રહેશે તે જાણીશું.

વરસાદ પર અલ-નીનોની અસર?

જુનમાં વરસાદ ઓછો હતો. જુલાઇમાં વધારે વરસાદ થયો અને ઓગષ્ટમાં વરસાદ 40% ઓછો થયો. રાજ્ય પ્રમાણે જોઇએ તો વરસાદનુ ડિસ્ટ્રીબ્યુશન બરાબર નથી. શ્રાવણનો મહિનો વાવાણીનો સમય હોય છે. સ્કાયમેટનુ કહેવુ છે કે ઓગષ્ટમાં તો વરસાદથી સંભાવના નથી.


વરસાદ ખેંચાતા અમરેલી જિલ્લામાં ધરતીપુત્રોની ચિંતા બેવડાઇ છે. એક તરફ વસાદનાં રિસામણા અને બીજી તરફ મગફળીમાં મુંડાનાં કહેરથી જગતનો તાત ચિંતાતુર બન્યા છે. ધારી તાલુકાના સરસિયા ગામમાં મગફળીના પાકમાં મુંડાએ મોકાણ સર્જતા ખેડૂતો માથે ઓઢીને રોવાના વારો આવ્યો છે. મગફળીમાં મુંડા નામનો રોગ આવતા પાક સુકાઈ રહ્યો છે.

બિયારણ, ખાતરને ઉપરથી મોંઘી દાટ રાસાયણિક દવાઓ નાખવા છતાં મગફળીમાં મુંડા નામની જીવાત કેડો છોડતી નથી. એટલે ખેડૂતને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતોનાં પરસેવાની કમાણી મુંડામાં સમાણી હોવાનો ઘાટ ઘડાયો છે. ખેડૂતોના ખેતરો મુંડા ઈયળ સફાચટ કરી જાય છે. ત્યારે ખેડૂતો એક સાંધે ત્યાં તેર તુટે તેવી હાલત થઇ છે. ખેડૂતોએ મગફળીનાં છોડવા હાથમાં લઈને સરકાર પાસે મદદ માગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મગફળી પાક ખેડૂતો માટે સોના સમાન છે. પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોના હાલ બેહાલ થયા.

ઘટશે ચણાની કિંમત?

ખુલ્લા બજારમાં સરકાર ચણા વેચશે. સરકાર 10 લાખ ટન ચણાનું વેચાણ કરશે. દેશના બજારોમાં કિંમત MSPની ઉપર નીકળી છે. સરકાર ચણાની કિમતો ઓછી કરવા ઇચ્છે છે. ચણાની MSP ₹5335 ક્વિંટલ નક્કી છે. કુલ કઠોળ ઉત્પાદનમાં ચણાનો 50% ભાગ છે.

NAFEDએ શું કર્યું?

જુલાઈની શરૂઆતથી ચણાનું વેચાણ કરી રહ્યું છે. હાલ સુધી 5 લાખ ટનથી વધારે ચણાનું વેચાણ કર્યું. 33-34 લાખ ટન ચણાનો સ્ટોક હજી પડ્યો છે.

કેમ વધ્યા ચણાના ભાવ?

તહેવારી સિઝનમાં માગ વધવાથી સપોર્ટ મળ્યો. દાળ મિલોની માગ વધવાથી કિંમતો વધી છે. ચણાનો લોટ બનાવનારા પાસેથી પણ માગ વધી છે.

ડુંગળી પર CRISILનો રિપોર્ટ

સપ્ટેમ્બરમાં કાંદાના ભાવ બે ગણા વધી શકે છે. ₹60-70/ કિલો સુધી ભાવ પહોંચી શકે છે. હાલમાં ડુંગળીના ભાવ ₹30-40/ કિલો ચાલી રહ્યા છે. ફેબ્રુઆરીમાં મહરાષ્ટ્રમાં પાક જલ્દી આવી ગયો હતો. માર્ચમાં વરસાદમાં પાકને નુકસાન થયું હતું. શેલ્ફ લાઈફ 6થી ઘટીને 4-5 મહિને રહી ગઈ હતી.

Gold Rate Today: દેશના 12 શહેરોમાં આજે સોનું મોંઘુ થયું, જાણો સોનાના લેટેસ્ટ રેટ

 

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2023 12:13 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.