Delhi Building Collapse: દિલ્હીના સત્ય નિકેતનમાં 5 માળની ઇમારત ધરાશાયી થતાં 6 લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટના બાદ MCD એ 4 માળથી ઊંચી તમામ ગેરકાયદે ઇમારતોને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે.
આ ઇમારત માત્ર 55 ચોરસ વારના પ્લોટ પર બનેલી હતી. આ પુનર્વાસ કોલોનીમાં નિયમ મુજબ માત્ર ગ્રાઉન્ડ ફ્લોર વત્તા એક માળ (G+1) બનાવવાની જ મંજૂરી હતી. આમ છતાં, ત્યાં 5 માળ (G+4)નું માળખું ઊભું કરી દેવાયું હતું. દુકાન નંબર 14માં બનેલી આ ઇમારત સિવાય હવે આસપાસની દુકાન નંબર 12 અને 13ના બાંધકામની પણ તપાસ શરૂ કરાઈ છે.
Delhi Building Collapse: દિલ્હીના સત્ય નિકેતનમાં 5 માળની ઇમારત ધરાશાયી થતાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ ગંભીર દુર્ઘટના પછી દિલ્હી નગર નિગમ સફાળું જાગ્યું છે. MCD એ રાજધાનીમાં ગેરકાયદેસર બાંધકામો સામે મોટી ઝુંબેશ શરૂ કરીને 4 માળથી વધુ ઊંચાઈ ધરાવતી તમામ ગેરકાયદે ઇમારતોને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ, જે અધિકારીઓની મિલીભગતથી આવા બાંધકામો ઊભા થયા છે તેમની સામે પણ કડક કાર્યવાહીના નિર્દેશ અપાયા છે.
કેવી રીતે ઘટી આ દુર્ઘટના?
રવિવારે બપોરે લગભગ 1:30 વાગ્યે દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક 30 વર્ષ જૂની ઇમારત અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. કાટમાળમાંથી કુલ 11 લોકોને બહાર કઢાયા હતા, જેમાંથી 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલી આ ઇમારતનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે પેઇંગ ગેસ્ટ તરીકે થતો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દુર્ઘટના સમયે ગ્રાઉન્ડ ફ્લોર પર રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે આખું માળખું ધરાશાયી થયું.
નિયમોનો ખુલ્લેઆમ ભંગ: G+1ની મંજૂરી, છતાં 5 માળ બનાવ્યા
MCDના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઇમારત માત્ર 55 ચોરસ વારના પ્લોટ પર બનેલી હતી. આ પુનર્વાસ કોલોનીમાં નિયમ મુજબ માત્ર ગ્રાઉન્ડ ફ્લોર વત્તા એક માળ (G+1) બનાવવાની જ મંજૂરી હતી. આમ છતાં, ત્યાં 5 માળ (G+4)નું માળખું ઊભું કરી દેવાયું હતું. દુકાન નંબર 14માં બનેલી આ ઇમારત સિવાય હવે આસપાસની દુકાન નંબર 12 અને 13ના બાંધકામની પણ તપાસ શરૂ કરાઈ છે.
આસપાસની ઇમારતો ખાલી કરાવાઈ, નોટિસ ફટકારી
દુર્ઘટના બાદ MCD એ આસપાસના લોકોની સુરક્ષા માટે બાજુની ઇમારતમાં ચાલતા મહિલાઓના PGને તાત્કાલિક ખાલી કરાવીને સીલ કરી દીધું છે. આ ઉપરાંત, બિલ્ડિંગ નંબર 13ને અત્યંત જોખમી જાહેર કરવામાં આવી છે. MCD એ સ્પષ્ટ નિવેદનમાં કહ્યું છે કે, DMC એક્ટ 1957ની કલમ 348 અને 491 હેઠળ મકાન માલિકને આદેશ આપવામાં આવ્યો છે કે નોટિસ મળ્યાના 3 દિવસની અંદર આ જોખમી ઇમારતને તોડી પાડે. જો 3 દિવસમાં આદેશનું પાલન નહીં થાય, તો MCD જાતે તેને તોડશે અને તેનો ખર્ચ ટેક્સની બાકી રકમ તરીકે માલિક પાસેથી વસૂલશે.
બેદરકાર અધિકારીઓ મેયરના રડાર પર
દિલ્હીના મેયર પ્રવેશ વાહીએ સ્પષ્ટ કર્યું છે કે આ દુર્ઘટના માટે જવાબદાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. તપાસમાં જો કોઈ અધિકારીની બેદરકારી સામે આવશે, તો તેને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.
બિલ્ડિંગ માલિક સામે પોલીસ ફરિયાદ
દિલ્હી પોલીસે આ ગંભીર મામલે બિલ્ડિંગના માલિક હરિરામ અને તેમાં સામેલ અન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમની પર ઈરાદાપૂર્વક હત્યા ન કરવા, મકાનની જાળવણીમાં બેદરકારી દાખવવા અને લોકોના જીવ જોખમમાં મૂકવા જેવી કલમો લગાવવામાં આવી છે.
#WATCH | Delhi: CCTV footage from the building collapse site in Satya Niketan of Delhi's South-West district. Six people have lost their lives.
સત્ય નિકેતન દુર્ઘટનાએ દિલ્હીમાં ચાલતા ગેરકાયદેસર PG અને બાંધકામની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. MCD ના નવા 4 માળના નિયમ બાદ હવે સમગ્ર દિલ્હીમાં જોખમી ઇમારતોનું ચેકિંગ અને સીલિંગ ઓપરેશન વધુ તેજ બનવાની પૂરી સંભાવના છે.