ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકારનું મોટું પગલું, કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન નંબર જાહેર | Moneycontrol Gujarati
Get App

ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકારનું મોટું પગલું, કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન નંબર જાહેર

ઈરાનમાં ચાલી રહેલા તણાવપૂર્ણ સંજોગોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા તેજ કરી છે. સોમવારે રાત્રે પ્રથમ બેચમાં 100 ભારતીય નાગરિકોને ઈરાનથી રોડ માર્ગે આર્મેનિયા મોકલવામાં આવ્યા હતા.

અપડેટેડ 11:15:46 AM Jun 17, 2025 પર
Story continues below Advertisement
ઈરાનથી ભારતીયોને બહાર કાઢવાની કામગીરી શરૂ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ભારત સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનમાં રહેતા અથવા ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે 24x7 કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. સાથે જ, સરકારે ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો અને ઈ-મેઈલ આઈડી પણ જાહેર કર્યા છે, જેથી ભારતીયો અને તેમના પરિવારજનો સરળતાથી મદદ મેળવી શકે.

ઈરાનથી ભારતીયોને બહાર કાઢવાની કામગીરી શરૂ

ઈરાનમાં ચાલી રહેલા તણાવપૂર્ણ સંજોગોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા તેજ કરી છે. સોમવારે રાત્રે પ્રથમ બેચમાં 100 ભારતીય નાગરિકોને ઈરાનથી રોડ માર્ગે આર્મેનિયા મોકલવામાં આવ્યા હતા. આ કામગીરી નવી દિલ્હી અને તેહરાન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો બાદ શક્ય બની છે. આગામી દિવસોમાં વધુ ભારતીયોને સુરક્ષિત સ્થળે ખસેડવાની યોજના છે.

4 Indian governments big step for In 1

કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન નંબરની વિગતો


ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને મદદ કરવા માટે દિલ્હીમાં 24 કલાક ચાલતો કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે. આ કંટ્રોલ રૂમ દ્વારા ભારતીય નાગરિકો અને તેમના પરિવારજનોને માહિતી અને સહાય પૂરી પાડવામાં આવશે. સરકારે નીચે મુજબના હેલ્પલાઈન નંબરો અને ઈ-મેઈલ આઈડી જાહેર કર્યા છે:

ભારતમાં હેલ્પલાઈન નંબર:-

1800118797 (ટોલ ફ્રી)

+91-11-23012113

+91-11-23014104

+91-11-23017905

+91-9968291988 (વોટ્સએપ)

ઈ-મેઈલ: situationroom@mea.gov.in

તેહરાનમાં ભારતીય દૂતાવાસના ઈમરજન્સી નંબર:

કૉલ્સ માટે: +98 9128109115, +98 9128109109

વોટ્સએપ માટે: +98 901044557, +98 9015993320, +91 8086871709

બંદર અબ્બાસ: +98 9177699036

ઝાહેદાન: +98 9396356649

ઈ-મેઈલ: cons.tehran@mea.gov.in

આ નંબરો પર સંપર્ક કરીને ભારતીય નાગરિકો અથવા તેમના પરિવારજનો ઈરાનમાં ફસાયેલા લોકોની સ્થિતિ અંગે માપે થઈ શકે છે.

ભારત સરકારની સતર્કતા અને રાજદ્વારી પ્રયાસો

ઈરાન-ઈઝરાયલ યનની અસરને ધ્યાને લઈને ભારત સરકારે ઈરાનમાં રહેતા લગભગ હજારો ભારતીયોની સુરક્ષા માટે રાજદ્વારી સ્તરે પણ સક્રિય પગલાં લીધાં છે. ભારતીય દૂતાવાસે તેહરાન, બંદર અબ્બાસ અને ઝાહેદાનમાં ઈમરજન્સી હેલ્પલાઈન શરૂ કરી છે, જે ભારતીયોને સતત સહાય પૂરી પાડી રહી છે. આ સિવાય આર્મેનિયા જેવા સરક્ષિરત સ્થળો પર ભારતીય નાગરિકોને ખસેડવાની પ્રક્રિયા ચાલી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 17, 2025 11:15 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.