Kolkata Rape-murder Case: કોલકાતાના પ્રખ્યાત આરજી કર બળાત્કાર-હત્યા કેસમાં આજે સંજય રોયને સજા ફટકારવામાં આવી. 9 ઓગસ્ટ 2024ના રોજ આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત સંજય રાયને સિયાલદાહ કોર્ટના ન્યાયાધીશ અનિર્બાન દાસે આજીવન કેદની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે 18 જાન્યુઆરીના રોજ, સિયાલદાહ કોર્ટે સંજય રોયને મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. સંજય રોયને BNS ની કલમ 64, 66 અને 103(1) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આરજી કર બળાત્કાર અને હત્યા કેસ શું છે?
આ કેસની સુનાવણી 12 નવેમ્બરના રોજ બંધ રૂમમાં શરૂ થઈ હતી. કુલ ૫૦ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી અને સુનાવણી ૯ જાન્યુઆરીએ પૂર્ણ થઈ. આ કેસમાં મુખ્ય આરોપી સંજય રોય હતો. 9 ઓગસ્ટના રોજ બનેલી ઘટના પછી તરત જ પોલીસે 10 ઓગસ્ટના રોજ સંજય રોયની ધરપકડ કરી હતી. પીડિતાના શરીર પાસે બ્લૂટૂથ ઇયરફોન મળી આવ્યો હતો, જેના કારણે પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી, કારણ કે તે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સેમિનાર હોલમાં ગળામાં ડિવાઇસ પહેરીને પ્રવેશતો જોવા મળ્યો હતો.
કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ સંજયે શું કહ્યું?
૧૮ જાન્યુઆરીએ જ્યારે કોર્ટે સંજય રોયને દોષિત ઠેરવ્યા ત્યારે સંજય રોયે કહ્યું કે તે નિર્દોષ છે. સંજય રોયે કહ્યું કે, જો તેણે ગુનો કર્યો હોત, તો તેની રુદ્રાક્ષની માળા ચોક્કસપણે ગુનાના સ્થળે મળી આવી હોત. પશ્ચિમ બંગાળ પોલીસમાં સ્વયંસેવક તરીકે કામ કરતા સંજય રોયે જણાવ્યું હતું કે, તેમને ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી તે હોસ્પિટલના સેમિનાર હોલ પાસે સીસીટીવી કેમેરામાં સંજય રોય ફરતા જોવા મળ્યા હતા. તેમણે શનિવારે દાવો કર્યો હતો ,કે ગુનાના વાસ્તવિક ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી નથી.