માર્કેટ કેપિટલાઈઝેશનની દૃષ્ટિએ ડીએલએફ પહેલા ક્રમની સ્થાનિક રિયલ એસ્ટેટ ડેવલપર છે. વર્તમાન નાણાકીય વર્ષ માટે કંપનીએ 13 હજાર કરોડ રૂપિયાનો સેલ્સ ટાર્ગેટ નક્કી કર્યો છે. સૂચિત બે લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ્સ ઉપરાંત ચંડીગઢ અને મુંબઈમાં એક-એક હાઉસિંગ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરશે
વોલેટિલિટીની વચ્ચે પણ ડીએલએફનો શૅર બે ટકાથી અધિક વધ્યો છે કારણ કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અજય ત્યાગીએ જાહેરાત કરી કે કંપની ગુરુગ્રામમાં બે લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે
સોમવારે સ્થાનિક શૅરબજારમાં તોફાની વધઘટ જોવા મળી રહી છે. જોકે, આ વોલેટિલિટીની વચ્ચે પણ ડીએલએફનો શૅર બે ટકાથી અધિક વધ્યો છે કારણ કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અજય ત્યાગીએ જાહેરાત કરી કે કંપની ગુરુગ્રામમાં બે લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. આ પ્રોજેક્ટનું અંદાજ મૂલ્ય 15 હજાર કરોડ રૂપિયા હશે. શહેરના દક્ષિણ ભાગમાં કંપનીની પોતાની જમન અને ગલ્ફ કોર્સ રોડ ઉપર આ પ્રોજેક્ટ ઉભા કરવામાં આવશે.
માર્કેટ કેપિટલાઈઝેશનની દૃષ્ટિએ ડીએલએફ પહેલા ક્રમની સ્થાનિક રિયલ એસ્ટેટ ડેવલપર છે. વર્તમાન નાણાકીય વર્ષ માટે કંપનીએ 13 હજાર કરોડ રૂપિયાનો સેલ્સ ટાર્ગેટ નક્કી કર્યો છે. સૂચિત બે લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ્સ ઉપરાંત ચંડીગઢ અને મુંબઈમાં એક-એક હાઉસિંગ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરશે.
જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીની કામકાજની આવક વાર્ષિક ધોરણે 1.31 ટકા ઘટીને 1,423 કરોડ થઈ હતી. જ્યારે ચોખ્ખો નફો ગત વર્ષનાં સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ 12.15 ટકા વધીને 526 કરોડ રૂપિયા થયો હતો. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 100 બેસિસ પોઈન્ટ્સ ઘટીને 28 ટકાના સ્તરે રહ્યુ હતું. ઉપરાંત કંપનીએ પોતાનું ડેબ્ટ પણ ઘટીને 57 કરોડ રૂપિયા થયુ છે, જે ગત નાણાકીય વર્ષનાં અંત સુધીમાં 721 કરોડ રૂપિયા હતું.
રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ ઉપરાંત ડીએલએફનું કામકાજ ઓફિસ સ્પેસ, શોપિંગ કોમ્પ્લેક્સિસ અને હોસ્પિટાલિટીમાં છે. ડીએલએફ એ 158થી અધિક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ ડેવલપ કર્યા છે.
સોમવારે 12:40 સુધીમાં કંપનીનો શૅર 1.49 ટકા વધીને 482.35 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. શૅર 478.05ના સ્તરે ખુલીને ઉપરમાં 485.95 અને નીચામાં 476.50ના સ્તર સુધી પહોંચ્યો હતો. ડીએલએફની બાવન સપ્તાહની ટોચ 521.75 અને બાવન સપ્તાહની નીચી સપાટી 336.50 છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.