Share Market Crash: શેરબજારમાં 10%નો કડાકો. સેન્સેક્સ અને નિફ્ટી સતત તૂટી રહ્યા છે. આવી સ્થિતિમાં નવા રોકાણ માટે નિફ્ટીનું કયું લેવલ છે બેસ્ટ? જાણો માર્કેટ એક્સપર્ટ્સની ચોક્કસ સલાહ.
Share Market Crash: શેરબજારમાં 10%નો કડાકો. સેન્સેક્સ અને નિફ્ટી સતત તૂટી રહ્યા છે.
Share Market Crash: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. માર્ચ મહિનામાં ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સમાં 10% જેટલો મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી એક પછી એક પોતાના મહત્વના સપોર્ટ લેવલ તોડી રહ્યા છે. માર્કેટની આ પડતી જોઈને ખાસ કરીને રિટેલ રોકાણકારો ભારે ચિંતામાં મુકાયા છે.
આવી ગભરામણભરી સ્થિતિમાં બજાર ક્યારે રિકવર થશે અને કયા લેવલ પર નવું રોકાણ કરવું યોગ્ય રહેશે, તે અંગે માર્કેટ એક્સપર્ટ્સે કેટલીક મહત્વની સલાહ આપી છે.
બજારમાં અત્યારે ખૂબ સાવચેતી રાખવાની જરૂર
સેમ્કો સિક્યોરિટીઝ (SAMCO Securities) ના ડેરીવેટિવ રિસર્ચ એનાલિસ્ટ ધુપેશ ધમેજાના જણાવ્યા અનુસાર, નિફ્ટી હાલમાં તેના 10-DEMA ની નીચે ટ્રેડ કરી રહ્યો છે જે નબળાઈનો સંકેત છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ નબળા પડ્યા છે અને RSI 40 ની નીચે એટલે કે 'ઓવરસોલ્ડ ઝોન' માં જતો રહ્યો છે. આ ઉપરાંત, બજારમાં અસ્થિરતા દર્શાવતો India VIX 20 ની ઉપર છે, જેનો સીધો અર્થ એ છે કે રોકાણકારોએ અત્યારે ખૂબ જ સાવચેતીથી કામ લેવાની જરૂર છે.
નિફ્ટીના કયા લેવલ પર રાખવી નજર?
શોર્ટ ટર્મમાં બજાર નબળું દેખાઈ રહ્યું છે. એક્સપર્ટના મતે, જ્યાં સુધી નિફ્ટી ફરીથી 23,800 થી 24,000 નું લેવલ ક્રોસ કરીને ત્યાં ટકતો નથી, ત્યાં સુધી બજારમાં ઉછાળે વેચવાલી (Sell-on-rise) નો ટ્રેન્ડ જોવા મળી શકે છે.
બજારના આંકડા શું કહે છે?
જો 13 માર્ચના ડેટા પર નજર કરીએ તો:
* બપોરે 1:05 વાગ્યે India VIX 3% ઉછળીને 22.18 પર પહોંચ્યો હતો.
* બપોરે 2:30 વાગ્યે નિફ્ટી 433 પોઈન્ટ (1.81%) તૂટીને 23,211 પર આવી ગયો હતો.
* જ્યારે સેન્સેક્સ 1270 પોઈન્ટ (1.66%) ના ભારે કડાકા સાથે 74,751 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ દિવસે માર્કેટમાં વેચવાલી એટલી હાવી હતી કે 3,038 શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે માત્ર 766 શેરો જ વધ્યા હતા. 143 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.
કયા શેરોમાં રોકાણ કરવું?
ચોઈસ ઇક્વિટી બ્રોકિંગના રિસર્ચ એનાલિસ્ટ હિતેશ ટેલર સલાહ આપે છે કે, ગ્લોબલ માર્કેટની અનિશ્ચિતતા જોતા અત્યારે શિસ્તબદ્ધ અને સિલેક્ટિવ રહેવું જરૂરી છે. રોકાણકારોએ માત્ર મજબૂત ફંડામેન્ટલ ધરાવતા શેરો પર જ ફોકસ કરવું જોઈએ. જ્યાં સુધી નિફ્ટી 25,000 ની ઉપર મજબૂતીથી ટકી રહેવામાં સફળ ન થાય, ત્યાં સુધી કોઈ નવી 'લોંગ પોઝિશન' લેવી હિતાવહ નથી. 25,000 ની ઉપર જ બજારનું સેન્ટિમેન્ટ સુધરશે.
SIP ચાલુ રાખો, ગભરાશો નહીં
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમાર મુજબ, પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને ક્રૂડ ઓઈલ (Brent) 100 ડોલર પર પહોંચી જવાથી બજાર પર દબાણ વધ્યું છે. વિદેશી રોકાણકારો (FIIs) સતત માલ વેચી રહ્યા છે, જેના કારણે મોટી બ્લુચિપ કંપનીઓના શેર પણ દબાણમાં છે.
આવા પડકારજનક સમયમાં રોકાણકારોએ પેનિક સેલિંગ (ગભરાઈને વેચાણ) કરવાનું ટાળવું જોઈએ. મગજ શાંત રાખો અને તમારી SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા રોકાણ નિયમિતપણે ચાલુ રાખો, જે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. બજારને સંપૂર્ણ રીતે રિકવર થવામાં હજુ થોડો સમય લાગી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.