અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે સાબરમતી રિવર ફ્રન્ટ પર યોજાશે કોંગ્રેસનું અધિવેશન, જાણો શું હશે એજન્ડા?
સચિન પાયલટે ઉમેર્યું કે, “પાર્ટી પછાત વર્ગો, યુવાનો, મહિલાઓ, અનુસૂચિત જાતિ-જનજાતિ અને લઘુમતીઓની સ્થિતિ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ વર્ગો આપણી વસ્તીનો સૌથી મોટો હિસ્સો છે અને તેમનું પૂરતું પ્રતિનિધિત્વ જરૂરી છે.”
આ અધિવેશન દ્વારા કોંગ્રેસ ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અને રાષ્ટ્રીય સ્તરે પોતાની વિચારધારાને નવું સ્વરૂપ આપવા માટે મહત્ત્વનું પગલું ભરવા જઈ રહી છે.
કોંગ્રેસ પાર્ટીએ આગામી 8 અને 9 એપ્રિલે અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે યોજાનારા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના અધિવેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ આ અધિવેશનનો વિષય ‘ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ’ નક્કી કર્યો છે. આ દરમિયાન વિદેશ નીતિ, શિક્ષણ અને ખાનગી ક્ષેત્રમાં આરક્ષણના અમલીકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
લડવાનો જોશ હજુ જળવાયેલો છે: સચિન પાયલટ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહાસચિવ સચિન પાયલટે અધિવેશન પહેલાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “કોંગ્રેસ પાર્ટીએ લડવાનો જોશ કે જજ્બો ગુમાવ્યો નથી. બદલાવ એક રાતમાં નથી આવતો, તે ધીમે-ધીમે થાય છે.” તેમણે ઉમેર્યું કે પાર્ટીમાં પેઢીગત ફેરફાર થઈ રહ્યો છે અને યુવા નેતાઓ પોતાની જવાબદારીઓ ઉત્તમ રીતે નિભાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પ્રક્રિયામાં જવાબદારી સાથે વિચારધારાને મજબૂત કરવી એ મુખ્ય ઉદ્દેશ્ય રહેશે.
જૂનો ગૌરવ પાછો લાવવા પર ભાર
સચિન પાયલટે જણાવ્યું કે ગુજરાતમાં યોજાઈ રહેલું આ અધિવેશન ખૂબ મહત્ત્વનું છે, કારણ કે આ સમયે પાર્ટીનું ધ્યાન રાજ્યમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અને જૂનો ગૌરવ પુનઃસ્થાપિત કરવા પર કેન્દ્રિત છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ ભલે કેટલાક રાજ્યોમાં પાર્ટી હારી ગઈ હોય, પરંતુ તેનો ઉત્સાહ ઓછો થયો નથી. પાર્ટીમાં પેઢીગત ફેરફારનો સમય આવ્યો છે કે કેમ એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું, “કોઈપણ બદલાવ રાતોરાત નથી થતો, તે ધીમે-ધીમે આવે છે.”
સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ
પાયલટે ઉમેર્યું, “પાર્ટી પછાત વર્ગો, યુવાનો, મહિલાઓ, અનુસૂચિત જાતિ-જનજાતિ અને લઘુમતીઓની સ્થિતિ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ વર્ગો આપણી વસ્તીનો સૌથી મોટો હિસ્સો છે અને તેમનું પૂરતું પ્રતિનિધિત્વ જરૂરી છે.”
યુવા નેતાઓ હવે નેતૃત્વ સંભાળી રહ્યા છે
તેમણે વધુમાં જણાવ્યું, “પાર્ટીના મંચ પર અમે ઉદયપુર ઘોષણાપત્ર સ્વીકાર્યું છે અને તેનું પાલન કરી રહ્યા છીએ. પાર્ટીની તમામ નિમણૂકોમાં અમે આ ઘોષણાપત્રને ધ્યાનમાં રાખીએ છીએ. પેઢીગત ફેરફાર આપમેળે થઈ રહ્યો છે. ઘણા લોકો હવે નેતૃત્વની ભૂમિકાઓ નિભાવી રહ્યા છે, પછી તે સંસદની અંદર હોય કે બહાર, રાજ્યોમાં હોય કે AICCમાં નવા લોકોની નિમણૂક હોય. યુવા નેતાઓ હવે આગળ આવી રહ્યા છે.” આ અધિવેશન દ્વારા કોંગ્રેસ ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અને રાષ્ટ્રીય સ્તરે પોતાની વિચારધારાને નવું સ્વરૂપ આપવા માટે મહત્ત્વનું પગલું ભરવા જઈ રહી છે.