PM મોદીએ ‘ઓપરેશન સિંદૂર'ની કરી પ્રશંસા, કહ્યું "પાકિસ્તાની એરબેઝનો નાશ કરીને બતાવ્યું કે ભારત શું કરી શકે છે"
PM મોદીનું આ સંબોધન ભારતની આતંકવાદ સામેની લડાઈ, સિક્કિમના વિકાસ અને ટૂરિઝમની સંભાવનાઓને ઉજાગર કરે છે. તેમના શબ્દોએ ભારતની એકતા અને શક્તિનો સંદેશ આપ્યો, જે ગ્લોબલ સ્ટેજ પર દેશની સ્થિતિને મજબૂત કરે છે.
PM મોદીએ કહ્યું કે પહેલગામમાં આતંકવાદીઓએ જે કર્યું તે માત્ર ભારતીયો પર હુમલો નહોતો, પરંતુ માનવતા અને ભાઈચારાની ભાવના પર આક્રમણ હતું.
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સિક્કિમના 50મા સ્થાપના દિવસના કાર્યક્રમને ડિજિટલ માધ્યમથી સંબોધ્યો. ખરાબ હવામાનને કારણે તેઓ ગંગટોકના પલજોર સ્ટેડિયમમાં યોજાયેલા સ્વર્ણ જયંતી સમારોહમાં હાજર રહી શક્યા નહીં. પશ્ચિમ બંગાળના બાગડોગરાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમણે સિક્કિમના લોકોને શુભેચ્છા પાઠવી અને આતંકવાદ સામે ભારતની એકતા અને 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની પ્રશંસા કરી.
આતંકવાદ પર કડક પ્રહાર
PM મોદીએ કહ્યું કે પહેલગામમાં આતંકવાદીઓએ જે કર્યું તે માત્ર ભારતીયો પર હુમલો નહોતો, પરંતુ માનવતા અને ભાઈચારાની ભાવના પર આક્રમણ હતું. "આતંકીઓએ અનેક પરિવારોની ખુશીઓ છીનવી લીધી અને ભારતીયોને વિભાજિત કરવાની સાજિશ રચી,"એમ તેમણે ઉમેર્યું. જોકે, ભારતે એકજૂટ થઈને આતંકવાદીઓ અને તેમના સમર્થકોને કડક જવાબ આપ્યો. 'ઓપરેશન સિંદૂર' દ્વારા ભારતે આતંકીઓના ઠેકાણાઓ નેસ્તનાબૂદ કરી દીધા.
#WATCH | Gangtok, Sikkim | PM Narendra Modi says, "All you people of Sikkim understand the power of tourism well. Tourism is not just about entertainment, but also a celebration of diversity. But what terrorists did in Pahalgam wasn't just an attack on India, but on humanity and… pic.twitter.com/969JQmyXCk
વડાપ્રધાને પાકિસ્તાન પર પ્રહાર કરતા જણાવ્યું કે આતંકી ઠેકાણાઓ નષ્ટ થવાથી બૌખલાયેલા પાકિસ્તાને ભારતીય નાગરિકો અને સૈનિકો પર હુમલાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની નાકામી જ ઉજાગર થઈ. "આપણે પાકિસ્તાનના કેટલાય એરબેઝ નેસ્તનાબૂદ કરી દીધા. આ બતાવે છે કે ભારત ક્યારે, કેવી રીતે અને કેટલી ઝડપથી ચોક્કસ કાર્યવાહી કરી શકે છે,"
સિક્કિમના વિકાસની પ્રશંસા
સિક્કિમના 50 વર્ષની લોકતાંત્રિક યાત્રાને ગોલ્ડન જ્યુબિલી તરીકે ઉજવતા મોદીએ કહ્યું, "સિક્કિમે લોકતાંત્રિક ભવિષ્ય પસંદ કરીને ભારતની ભાવના સાથે જોડાવાનો નિર્ણય લીધો. આજે સિક્કિમના લોકોનો વિશ્વાસ દેખાય છે કે જ્યાં બધાની વાત સાંભળવામાં આવે, ત્યાં વિકાસની તકો સરખી મળે."
#WATCH | Gangtok, Sikkim | PM Narendra Modi says, "India will soon become a sports superpower. Sikkim and the North East youth will play a huge role in fulfilling this dream. Sikkim gave us football legends like Bhaichung Bhutia, Olympians like Tarundeep Rai, and players like… pic.twitter.com/h3bDO52A3C — ANI (@ANI) May 29, 2025
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટૂરિઝમ પર ફોકસ
PM મોદીએ છેલ્લા 10 વર્ષમાં સિક્કિમમાં થયેલા વિકાસની વાત કરી. "લગભગ 400 કિલોમીટરના નવા નેશનલ હાઈવે બન્યા છે, ગામડાઓમાં સેંકડો કિલોમીટરના રોડ બન્યા છે. અટલ સેતુએ સિક્કિમ અને દાર્જિલિંગની કનેક્ટિવિટી સુધારી છે," એમ તેમણે જણાવ્યું. તેમણે એડવેન્ચર, સ્પોર્ટ્સ, કોન્ફરન્સ, વેલનેસ અને કોન્સર્ટ ટૂરિઝમ દ્વારા સિક્કિમને ગ્લોબલ હબ બનાવવાનું વિઝન પણ રજૂ કર્યું. "હું ઈચ્છું છું કે દુનિયાના મોટા આર્ટિસ્ટ ગંગટોકની વાદીઓમાં પરફોર્મ કરે અને દુનિયા કહે કે જ્યાં નેચર અને કલ્ચર એકસાથે છે, તે સિક્કિમ છે," એમ તેમણે ઉમેર્યું.
#WATCH | Gangtok, Sikkim | PM Narendra Modi says, "Viksit Bharat will be formed on four strong pillars: the poor, farmers, women, and the youth... On today's occasion, I want to show appreciation to the farmers of Sikkim with an open heart. Sikkim is at the forefront of the new… pic.twitter.com/GcHF8tkHxV