કેન્સરના કારણોમાં સ્થૂળતા અને દારૂનું સેવન મુખ્ય છે, જેની સામે જાગૃતિ જરૂરી છે.
Gujarat Breast Cancer: ગુજરાતમાં સ્તન કેન્સરનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્તન કેન્સરના કુલ 6686 કેસ નોંધાયા છે, જે ચિંતાનો વિષય છે. દરરોજ સરેરાશ 32થી વધુ નવા દર્દીઓમાં આ રોગનું નિદાન થાય છે, જ્યારે 12 દર્દીઓના મોત થાય છે. વર્ષ 2019થી 2023 સુધીમાં રાજ્યમાં કુલ 54616 કેસ સામે આવ્યા છે, જેમાં 20317 દર્દીઓનું જીવન ગુમાવ્યું છે.
સિવિલ હોસ્પિટલના ડેટા અનુસાર, સૌથી વધુ કેસ 41થી 50 વયના જૂથમાં જોવા મળ્યા છે, જે 32 ટકા છે. ખાસ વાત એ છે કે આ રોગ માત્ર મહિલાઓને જ નથી થતો. છેલ્લા ત્રણ વર્ષમાં 44 પુરુષોમાં પણ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે, જે ચોંકાવનારી માહિતી છે. ભારતમાં 32.58 લાખ કેન્સર દર્દીઓ છે, જેમાં દર વર્ષે 14.13 લાખ નવા કેસ ઉમેરાય છે. મહિલાઓમાં 27 ટકા કેસમાં સ્તન કેન્સર જોવા મળે છે, જે 2022માં 1.92 લાખથી વધુ હતા.
GCRIમાં નોંધાયેલા સ્તન કેન્સરના દર્દીઓમાં સૌથી મોટો હિસ્સો મધ્યમ વયજૂથનો છે. કુલ કેસો પૈકી સૌથી વધુ 32% જેટલા દર્દીઓ 41થી 50 વર્ષની વયજૂથના છે.
વયજૂથ
2022 કેસ
2023 કેસ
2024 કેસ
18થી ઓછી
00
00
01
18-30
48
35
44
31-40
242
229
163
41-50
477
429
463
51-60
366
311
368
61થી વધુ
39
266
363
ટોટવ
1172
1270
1402
વર્ષ (Year)
મહિલા કેસ
પુરુષ કેસ
Total કેસ
2020
542
15
557
2021
1365
18
1383
2022
1451
15
1466
2023
1359
23
1382
2024
1452
16
1468
કુલ (2020-2024)
6169
87
6686
ઓક્ટોબર મહિનો ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’ તરીકે ઉજવાય છે, પરંતુ આ આંકડા ચેતવણી આપે છે. સમયસર ચેકઅપ અને સ્વાસ્થ્ય જાગૃતિ થકી આ ખતરો ઘટાડી શકાય છે.
સ્તન કેન્સરના નિવારણ માટે અમલી ઉપાય
પહેલું, દરેક મહિલાએ માસિક આપ-તપાસ કરવી જોઇએ. રજસ્વાલા સ્ત્રીઓ માસિક બાદના 5થી 7 દિવસમાં, અને રજોનિવૃત્ત મહિલાઓએ મહિને એક ચોક્કસ દિવસ પસંદ કરી સ્તનની તપાસ કરવી. જો ગાંઠ, દુખાવો કે આકારમાં ફેરફાર દેખાય, તો તરત ડૉક્ટરની સલાહ લેવી.
બીજું, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી. સ્થૂળતા અને દારૂથી દૂર રહેવું, સંતુલિત આહાર લેવો અને નિયમિત વ્યાયામ કરવો જરૂરી છે. ધૂમ્રપાન અને જંક ફૂડ પણ ટાળવું.
ત્રીજું, 30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ દર 1થી 2 વર્ષે ટેસ્ટ કરાવવો. 40 વર્ષ પછી આ ટેસ્ટ વાર્ષિક રાખવો. સમયસર ચેકઅપથી રોગની શરૂઆતમાં ઓળખ શકાય છે.
ચોથું, પરિવારમાં કેન્સરનો ઇતિહાસ હોય તો ખાસ સાવચેતી રાખવી. જેને કોઇ જોખમ હોય, તેમણે ડૉક્ટર સાથે સલાહ લઈને સ્ક્રીનિંગ પ્લાન કરવો.