અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર બસનો અકસ્માત, 4 લોકોના મોત, 35થી વધુ ઇજાગ્રસ્ત | Moneycontrol Gujarati
Get App

અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર બસનો અકસ્માત, 4 લોકોના મોત, 35થી વધુ ઇજાગ્રસ્ત

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકો નવરાત્રિ નિમિત્તે અહીંના પ્રસિદ્ધ અંબાજી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

અપડેટેડ 12:37:20 PM Oct 07, 2024 પર
Story continues below Advertisement
ગુજરાતના બનાસકાંઠામાં એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે.

ગુજરાતના બનાસકાંઠામાં એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં દાંતા નજીક અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી ગઈ હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 25થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો નવરાત્રિ નિમિત્તે અહીંના પ્રસિદ્ધ અંબાજી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી ખાઈ ગઈ હતી. બસ ખાઈમાં પડવાથી બચી ગઈ અન્યથા વધુ ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત.

અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તોને દાંતાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર ઈજા પામેલા શ્રદ્ધાળુઓને સિવિલમાંથી પાલનપુર હોસ્પિટલમાં રીફર કરાયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો - આ વર્ષે સૌથી વધુ પ્રવાસીઓ બાંગ્લાદેશથી આવ્યા ભારતમાં, બીજા નંબરે અમેરિકી અને ત્રીજા આ દેશના નાગરિકો

MoneyControl News

MoneyControl News

First Published: Oct 07, 2024 12:37 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.