Pakistan Terrorist Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાહનો પર થયો હતો. હુમલામાં એક પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી મુજબ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ શિયા મુસ્લિમ નાગરિકોને લઈ જતા મુસાફરોના વાહનો પર ગોળીબાર કર્યો છે. તાજેતરના વર્ષોમાં આ વિસ્તારમાં આ પ્રકારનો સૌથી ઘાતક હુમલો છે.
શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે તણાવ
અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી વિસ્તારમાં જમીન વિવાદને લઈને શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે દાયકાઓથી તણાવ ચાલી રહ્યો છે. આ ઘટનાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી. માહિતી અનુસાર, "મુસાફર વાહનોના બે કાફલા હતા, એક પેશાવરથી પારાચિનાર અને બીજો પારાચિનારથી પેશાવર તરફ મુસાફરોને લઈ જઈ રહ્યો હતો, ત્યારે સશસ્ત્ર લોકોએ તેમના પર ગોળીબાર કર્યો." ચૌધરીએ કહ્યું કે તેમના સંબંધીઓ પેશાવરથી કાફલામાં મુસાફરી કરી રહ્યા હતા.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની સખત નિંદા કરી હતી અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીપીપીએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે નિર્દોષ મુસાફરો પર હુમલો કરવો એ કાયરતાપૂર્ણ અને અમાનવીય કૃત્ય છે. પાર્ટીએ કહ્યું કે આ ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા મળવી જોઈએ.