SBI, HDFC, ICICI સહિત 6 બેન્કોએ સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, ચેક કરો લેટેસ્ટ રેટ્સ | Moneycontrol Gujarati
Get App

SBI, HDFC, ICICI સહિત 6 બેન્કોએ સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, ચેક કરો લેટેસ્ટ રેટ્સ

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 15 જૂન 2025થી તમામ સેવિંગ્સ એકાઉન્ટ પર એકસમાન 2.5% વાર્ષિક વ્યાજ દર લાગુ કર્યો છે. અગાઉ SBI નાના એકાઉન્ટ્સ પર 2.7% અને મોટા એકાઉન્ટ્સ (10 કરોડ રૂપિયા કે તેથી વધુ) પર 3% વ્યાજ આપતી હતી. હવે તમામ એકાઉન્ટ્સ માટે એક જ રેટ લાગુ થશે, જે ગ્રાહકો માટે નોંધપાત્ર ફેરફાર છે.

અપડેટેડ 04:15:17 PM Jun 18, 2025 પર
Story continues below Advertisement
RBIએ જૂન 2025માં રેપો રેટ ઘટાડીને 5.36% કર્યો, જે ત્રણ વર્ષના નીચા સ્તરે છે. આનો હેતુ લોનને સસ્તી બનાવવી અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા જૂન 2025માં રેપો રેટમાં 0.50%નો ઘટાડો કરવામાં આવ્યા બાદ દેશની મોટી બેન્કોએ સેવિંગ્સ એકાઉન્ટ પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ખાસ કરીને એવા ગ્રાહકોને અસર થશે જેઓ પોતાના બેન્ક એકાઉન્ટમાં મોટી રકમ જમા રાખે છે. SBI, HDFC, ICICI સહિત 6 મોટી બેન્કોએ નવા ઇન્ટરેસ્ટ રેટ્સ લાગુ કર્યા છે, જેની વિગતો અહીં આપવામાં આવી છે.

SBIએ સેવિંગ્સ એકાઉન્ટના Interest Rateમાં કર્યો ઘટાડો

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 15 જૂન 2025થી તમામ સેવિંગ્સ એકાઉન્ટ પર એકસમાન 2.5% વાર્ષિક વ્યાજ દર લાગુ કર્યો છે. અગાઉ SBI નાના એકાઉન્ટ્સ પર 2.7% અને મોટા એકાઉન્ટ્સ (10 કરોડ રૂપિયા કે તેથી વધુ) પર 3% વ્યાજ આપતી હતી. હવે તમામ એકાઉન્ટ્સ માટે એક જ રેટ લાગુ થશે, જે ગ્રાહકો માટે નોંધપાત્ર ફેરફાર છે.

HDFC Bankનો નવો ઇન્ટરસ્ટ રેટ

HDFC Bankએ પણ 10 જૂન 2025થી સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ દરમાં ઘટાડો કરીને 2.75% વાર્ષિક નક્કી કર્યો છે. અગાઉ 50 લાખ રૂપિયાથી ઓછા બેલેન્સ પર 2.75% અને 50 લાખ કે તેથી વધુ બેલેન્સ પર 3.25% વ્યાજ મળતું હતું. હવે બેન્કે તમામ એકાઉન્ટ્સ માટે એકસમાન રેટ લાગુ કર્યો છે, જેનાથી ઉચ્ચ બેલેન્સ ધરાવતા ગ્રાહકોને ઓછું વળતર મળશે.


ICICI Bankએ પણ ઘટાડ્યો વ્યાજ દર

ICICI Bankએ 12 જૂન 2025થી સેવિંગ્સ એકાઉન્ટના Interest Ratesમાં ફેરફાર કર્યો છે. અગાઉ 50 લાખ રૂપિયાથી ઓછા બેલેન્સ પર 2.75% અને 50 લાખ કે તેથી વધુ પર 3.25% વ્યાજ આપવામાં આવતું હતું. હવે તમામ બેલેન્સ પર 2.75%નો એકસમાન દર લાગુ કરવામાં આવ્યો છે. આ ફેરફારથી ગ્રાહકોને પોતાની રોકાણ યોજના પર ફરીથી વિચાર કરવો પડશે.

અન્ય બેન્કોના નવા રેટ્સ

* Bank of Baroda: 12 જૂન 2025થી લાગુ થયેલા નવા રેટ્સ અનુસાર, બેલેન્સના આધારે 2.7%થી 4.25% સુધી વ્યાજ આપવામાં આવે છે.

* Federal Bank: 17 જૂન 2025થી નવા રેટ્સ લાગુ થયા છે, જેમાં બેલેન્સના આધારે 2.5%થી 6.25% સુધી વ્યાજ મળે છે.

* IndusInd Bank: 16 જૂન 2025થી લાગુ નવા રે, જેમાં 3%થી 5% સુધી વ્યાજ બેલેન્સ સ્લેબના આધારે નક્કી થાય છે.

* RBL Bank: 16 જૂન 2025થી રિવાઇઝ્ડ રેટ્સ, જેમાં 3%થી 6.75% સુધી વ્યાજ બેલેન્સના આધારે મળે છે.

આ ફેરફારોની ગ્રાહકો પર શું થશે અસર?

આ બેન્કોના નિર્ણયથી ખાસ કરીને એવા ગ્રાહકોને અસર થશે જેઓ સેવિંગ્સ એકાઉન્ટમાં મોટી રકમ જમા રાખે છે. હવે તેમને અગાઉની સરખામણીએ ઓછું વળતર મળશે. RBIના રેપો રેટમાં ઘટાડાનો હેતુ મોંઘવારીને નિયંત્રણમાં રાખવાનો અને અર્થતંત્રમાં લિક્વિડિટી વધારવાનો છે. જોકે, આની સીધી અસર બેન્ક ગ્રાહકોના રિટર્સ પર પડે છે.

આ ફેરફારોને કારણે ગ્રાહકોએ પોતાની રોકાણ યોજનાઓ પર ફરીથી ધ્યાન આપવું જોઈએ. નિષ્ણાતોનું માનવું છે કે, સેવિંગ્સ એકાઉન્ટમાં મોટી રકમ રાખવાને બદલે મ્યુચ્યુઅલ ફંડ્સ, ફિક્સ્ડ ડિપોઝિટ અથવા અન્ય ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સનો વિચાર કરવો ફાયદાકારક રહેશે.

શા માટે થયો આ ફેરફાર?

RBIએ જૂન 2025માં રેપો રેટ ઘટાડીને 5.36% કર્યો, જે ત્રણ વર્ષના નીચા સ્તરે છે. આનો હેતુ લોનને સસ્તી બનાવવી અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. રેપો રેટ ઘટવાથી બેન્કો પર ફંડની કોસ્ટ ઘટે છે, જેના કારણે તેઓ લોન અને ડિપોઝિટ રેટ્સ ઘટાડે છે. SBI, HDFC, ICICI જેવી બેન્કોએ આ નીતિના પગલે પોતાના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.

આ પણ વાંચો-ગુજરાત સરકારે જાહેર કરી સરકારી કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો માટે નવી ગાઈડલાઈન્સ

MoneyControl News

MoneyControl News

First Published: Jun 18, 2025 4:15 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.