Generic Aadhaar: જ્યારે અર્જુન દેશપાંડે 16 વર્ષના હતા ત્યારે તેમણે એક કંપનીનો પાયો નાખ્યો હતો જે બજાર કરતા સસ્તા ભાવે દવાઓ આપતી હતી. 21 વર્ષની ઉંમરે અર્જુન દેશપાંડે જેનરિક આધારના CEO છે. તેમની આ કંપની લોકોને 80-90% ડિસ્કાઉન્ટમાં જેનરિક દવાઓ આપે છે. મુંબઈ સ્થિત આ સ્ટાર્ટઅપની કિંમત હવે 500 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કંપનીને હવે રતન ટાટાનો પણ સપોર્ટ મળ્યો છે.
તેના શરૂઆતના વર્ષોમાં, જેનરિક આધાર દેશના વિવિધ શહેરોમાં ઝડપથી ફેલાયો અને તેના કારણે અર્જુન દેશપાંડેને તેની પ્રથમ ટેડ ટોકમાં પણ દેખાવાની તક મળી. રતન ટાટાએ પણ તેમની રજૂઆતની નોંધ લીધી. રતન ટાટા કંપનીના નવીન મોડલથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમાં રોકાણ કરવાનું મન બનાવી લીધું. ત્યારથી રતન ટાટાએ જેનરિક આધારને દેશના છેલ્લા ખૂણે લઈ જવાનો નિર્ણય કર્યો. હવે આ અનોખા સ્ટાર્ટઅપના દેશભરમાં 2000થી વધુ સ્ટોર્સ છે.
એપ્રિલમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ અર્જુન દેશપાંડની પ્રશંસા કરી હતી. જેનરિક આધાર પર કરેલા તેમના કામને કારણે રાષ્ટ્રપતિએ તેમને 'વન્ડર કિડ ઓફ ફાર્મા' કહ્યા. હવે કંપની બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, UAE અને મ્યાનમારમાં પોતાનો ફેલાવો કરવાની યોજના બનાવી રહી છે. અર્જુન દેશપાંડેએ કહ્યું કે અમે બહુ જલ્દી દુબઈ, ઓમાન, કંબોડિયા અને વિયેતનામમાં સ્ટોર ખોલવા જઈ રહ્યા છીએ.
સ્ટોર્સની સંખ્યામાં વધારો
કંપની તેના સ્ટોર્સની સંખ્યા પણ વધારવા માંગે છે. કંપની વેટરનરી સેક્ટરમાં બહુ જલ્દી 3000 સ્ટોર ખોલવાનું લક્ષ્ય ધરાવે છે. 21 વર્ષીય અર્જુન દેશપાંડેનું માનવું છે કે જો આપણે પ્રાણીઓની દવાઓની કિંમતમાં ઘટાડો કરીશું તો તેનાથી ખેડૂતો પરનું દબાણ ઘટશે. કંપનીએ તાજેતરમાં જ આંધ્રપ્રદેશમાં તેનો પહેલો વેટરનરી સ્ટોર પણ ખોલ્યો છે.