EPFO: આજે EPF પર વ્યાજ દરો નક્કી થઈ શકે છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પરના વ્યાજ દરમાં આજે રિવિઝન થઈ શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે વ્યાજ દર 8 ટકાથી પણ ઓછો હોઈ શકે છે. આજે સોમવારે રિટાયરમેન્ટ ફંડ બોડી આજે EPF પર મળતા વ્યાજ અંગે ચર્ચા કરશે અને તેના પર નિર્ણય લઈ શકે છે. આ ઉપરાંત ઉચ્ચ પેન્શનના મુદ્દે બોર્ડના સભ્યો પણ બેઠક કરશે. તેના યોગ્ય અમલીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
EPF પર વ્યાજ 8% કરતા હોઈ શકે છે ઓછું
અત્યારે વ્યાજ દર 40 વર્ષમાં સૌથી નીચો
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈપીએફઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી એ ત્રિપક્ષીય સંસ્થા છે જેમાં સરકાર, કર્મચારીઓ અને એમ્પ્લોયરના પ્રતિનિધિઓ હોય છે અને સીબીટીનો નિર્ણય EPFO માટે બંધનકર્તા હોય છે. તેનું નેતૃત્વ શ્રમ મંત્રી કરે છે. 2021-22 માટે, સરકારે કર્મચારીઓના ભવિષ્ય નિધિની થાપણો પર 8.1 ટકાની મંજૂરી આપી હતી, જે ચાર દાયકામાં સૌથી નીચો વ્યાજ દર છે. EPF પર 8.1 ટકા વ્યાજ દર 1977-78 પછી સૌથી નીચો હતો, જ્યારે તે 8 ટકા હતો.
EPFના પૈસા મળે છે નિવૃત્તિ પર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા માર્ચ 2021 માં 020-21 માટે EPF થાપણો પર 8.5 ટકાનો વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો. EPF એ કર્મચારી ભવિષ્ય નિધિ અધિનિયમ, 1952 હેઠળ ફરજિયાત બચત યોજના છે. તે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા ચલાવવામાં આવે છે. તે દરેક એક ઓફિસ, કંપનીને આવરી લે છે જ્યાં 20 કે તેથી વધુ લોકો કામ કરે છે. કર્મચારીએ ભવિષ્ય નિધિમાં નિશ્ચિત યોગદાન ચૂકવવું પડે છે અને એમ્પ્લોયર દર મહિને તે જ રકમ ચૂકવે છે. પૈસા નિવૃત્તિ સમયે મળે છે. સપ્ટેમ્બર 2017 થી નવેમ્બર 2021 દરમિયાન લગભગ 4.9 કરોડ નવા કર્મચારીઓ EPF સાથે જોડાયેલા છે.