NPS account closure rules: શું તમે પણ આવું કર્યું છે? તો બંધ થશે NPS ખાતું, સરકારે બદલ્યા નિયમો
NPS account closure rules: ભારતીય નાગરિકત્વ છોડવું એટલે સ્વૈચ્છિક રીતે પોતાનું ભારતીય નાગરિકત્વ ત્યજવું. આ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોઈ ભારતીય નાગરિક અન્ય દેશનું નાગરિકત્વ લે છે. ભારતમાં ડ્યુઅલ નાગરિકત્વની મંજૂરી નથી, તેથી આ એક કાનૂની પ્રક્રિયા છે.
NPS account closure rules: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ પેન્શન યોજનામાં રોકાણ કરનારા ગ્રાહકો માટે મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે.
NPS account closure rules: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ પેન્શન યોજનામાં રોકાણ કરનારા ગ્રાહકો માટે મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. સરકારે NPSના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેના કારણે ચોક્કસ શ્રેણીના ખાતાઓ ટૂંક સમયમાં બંધ થઈ જશે. જો તમે ભારતીય નાગરિકત્વ છોડી દીધું હોય અને તમારી પાસે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ નથી, તો તમારું NPS ખાતું બંધ થઈ શકે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ આ સંબંધમાં નવા નિર્દેશો સાથે એક સર્ક્યુલર જારી કર્યું છે.
સર્ક્યુલરમાં શું કહેવાયું?
સર્ક્યુલર અનુસાર, જે સબ્સ્ક્રાઈબર્સે ભારતીય નાગરિકત્વ છોડી દીધું છે અને તેમની પાસે OCI કાર્ડ નથી, તેમણે નાગરિકત્વમાં થયેલા ફેરફારની જાણ તાત્કાલિક NPS ટ્રસ્ટને કરવી પડશે. આ સાથે, તેનો પુરાવો પણ રજૂ કરવો પડશે. આ પ્રક્રિયા બાદ સંબંધિત વ્યક્તિનું NPS ખાતું બંધ કરવામાં આવશે, અને તેમાં જમા થયેલી સંપૂર્ણ પેન્શન રકમ તેમના NRO (નોન-રેસિડેન્ટ ઓર્ડિનરી) ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
ભારતીય નાગરિકત્વ છોડવું શું છે?
ભારતીય નાગરિકત્વ છોડવું એટલે સ્વૈચ્છિક રીતે પોતાનું ભારતીય નાગરિકત્વ ત્યજવું. આ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોઈ ભારતીય નાગરિક અન્ય દેશનું નાગરિકત્વ લે છે. ભારતમાં ડ્યુઅલ નાગરિકત્વની મંજૂરી નથી, તેથી આ એક કાનૂની પ્રક્રિયા છે.
કોણ ખોલી શકે છે NPS ખાતું?
18થી 70 વર્ષની વયનો કોઈ પણ ભારતીય નાગરિક NPS ખાતું ખોલી શકે છે. આ ઉપરાંત, બિન-નિવાસી ભારતીય (NRI) અને OCI કાર્ડધારકો પણ ચોક્કસ શરતો સાથે ખાતું ખોલી શકે છે.
NPS સબ્સ્ક્રાઈબર્સે હવે શું કરવું?
જો કોઈ ગ્રાહકે ભારતીય નાગરિકત્વ છોડી દીધું હોય અને તેની પાસે OCI કાર્ડ ન હોય, તો તેમણે તાત્કાલિક NPS ટ્રસ્ટને જાણ કરવી પડશે અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે.
NPS ખાતું કેવી રીતે બંધ થશે?
-ખાતું બંધ કરવા માટે સબ્સ્ક્રાઈબરે નીચેના દસ્તાવેજો રજૂ કરવા પડશે:
-નાગરિકત્વ છોડવાનું પ્રમાણપત્ર, સરેન્ડર સર્ટિફિકેટ અથવા રદ કરાયેલ ભારતીય પાસપોર્ટની નકલ.
આ દસ્તાવેજોની ચકાસણી બાદ, NPS ટ્રસ્ટ અને સંબંધિત રેકોર્ડ કીપિંગ એજન્સીઓ (CRAs) ખાતું બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે, અને જમા રકમ NRO ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.