Health Insurance: હ્રદયરોગ, બ્લડ પ્રેશર, શુગર હોય તો ઇન્સ્યોરન્સ સમયે શું ધ્યાન રાખવું, જાણી લો સમગ્ર વિગતો
Health Insurance: હૃદયની નિષ્ફળતા, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, હાર્ટ એટેક, કાર્ડિયોમાયોપેથી વગેરે જેવા રોગો આ યોજનાઓમાં આવરી લેવામાં આવ્યા છે. આ રોગોની સારવાર ઘણી જ ખર્ચાળ છે. તેથી જો તમે હાર્ટ પેશન્ટ હો તો હેલ્થ ઇન્શોયરન્સ લેવામાં બેદરકારી ન દાખવવી તમારા માટે ઇચ્છનીય છે.
Health Insurance: સ્વાસ્થ્ય યોજનાઓને લઈને લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ છે. જેના કારણે લોકો વીમા યોજના લેવામાં અચકાય છે.
Health Insurance: એક સમય હતો જ્યારે વીમા કંપનીઓ હૃદય, બીપી અને શુગરના દર્દીઓને વીમા પોલિસી આપવામાં આનાકાની કરતી હતી. પરંતુ આજકાલ વીમા કંપનીઓ આવા દર્દીઓને ન માત્ર સરળતાથી પોલિસી આપી રહી છે પરંતુ દર્દીઓનની જરૂરિયાતો અનુસાર નીતિઓ પણ આપી રહી છે. હવે હૃદયરોગના દર્દીઓ માટે કાર્ડિયાક હેલ્થ ઈન્સ્યોરન્સ યોજનાઓ આવી રહી છે.
આ જ પ્રમાણે, બ્લડ પ્રેશર અને ડાયાબિટીશના દર્દીઓ માટે ખાસ પ્રકારની વીમા યોજનાઓ પણ બજારમાં ઉપલબ્ધ છે જેને હાયપરટેન્શન અને ડાયાબિટીસના દર્દીઓ માટેનો વીમો કહેવામાં આવે છે. વિશ્વભરમાં હ્રદયરોગ અને અકાળે મૃત્યુના મુખ્ય કારણોમાં હાઈપરટેન્શનની ગણતરી થાય છે. કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા અનુસાર, દેશમાં દર પાંચમો પુખ્ત વ્યક્તિ હાઈ બીપીથી પિડાતો હોય છે. બ્લડ પ્રેશર 120-80 ની રેન્જમાં હોવું સામાન્ય છે. 130 થી ઉપર હાઈ બીપી ગણવામાં આવે છે. હાઈપરટેન્શન ભવિષ્યમાં ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની જાય છે. તેથી, હાઈપરટેન્શનના દર્દીઓને કોઈપણ રીતે બેદરકાર ન રહેવાની સલાહ આપવામાં આવે છે. જો તમને અથવા તમે જાણતા હોવ તો કોઈને હાઈપરટેન્શન હોય, તો તમે તમારી સ્થિતિ અનુસાર વીમા યોજનાનો લાભ લઈ શકો છો.
વીમા તજજ્ઞો કહે છે, સ્વાસ્થ્ય યોજનાઓને લઈને લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ છે. જેના કારણે લોકો વીમા યોજના લેવામાં અચકાય છે. પહેલા એવા વીમા પ્લાન આવતા હતા કે જેમાં કોઈ ફેરફાર કરી શકાતા ન હતા. જો તમે કોઈપણ સુવિધાને દૂર કરવા અથવા ઉમેરવા માંગતા હો, તો તમે તે પૂર્ણ કરી શકતા ન હતા, પરંતુ હવે તમે તમારી સુવિધા અનુસાર વીમા યોજના બનાવી શકો છો. જેમ કે- તમે સારવાર માટે કેવો હોસ્પિટલનો રૂમ કેવો મેળવવા માંગો છો, તમે વિદેશમાં સારવાર કરાવવા માંગો છો કે કેમ? વગેરે વગેરે.. તમે તમારી જરૂરિયાત મુજબ બધું ઉમેરી અથવા દૂર કરી શકો છો.
જો કે કોઈને જો હળવો ડાયાબિટીસ હોય એટલે કે ઇન્સ્યુલિન લેવાની જરૂર પડતી નથી. માત્ર દવાઓ જ લેવી પડે છે. તો આવા દર્દીને એવું મનમાં હોય છે કે, ઘણું પ્રીમિયમ ચૂકવવું પડશે, પરંતુ એવું નથી. આજકાલ, મોટાભાગની કંપનીઓ હળવા ડાયાબિટીસ અને હાઈપરટેન્શન ધરાવતા લોકો પાસેથી સામાન્ય પ્રીમિયમ વસૂલે છે. હાઈ બીપી અને સુગર ધરાવતા લોકો માટે થોડું વધારે પ્રીમિયમ વસૂલવામાં આવે છે.
અગાઉ જૂની વીમા યોજનાઓમાં, આવા રોગો માટે ઘણીવાર 4 વર્ષ સુધી રાહ જોવી પડતી હતી. જેમકે પહેલા ચાર વર્ષ સુધી આવા રોગોનું રિસ્ક કવર મળતું ન હતું. તેથી લોકો વીમા યોજનાનો લાભ લેતા અચકાતા હતા. પણ હવે ઘણું બદલાઈ ગયું છે. થોડું વધુ પ્રીમિયમ ચૂકવીને, તમે 31મા દિવસે BP અથવા ડાયાબિટીસ માટે દાવો કરી શકો છો. કેટલીક કંપનીઓ પહેલા દિવસથી કવરેજ આપી રહી છે.
જો પહેલેથી જ કોઈ રોગ છે, અથવા હળવા લક્ષણો છે, તો સ્વાસ્થ્ય વીમા યોજના લેતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તમે જે કંપની પાસેથી પ્લાન લેવા જઈ રહ્યા છો તેના ક્લેમ રેશિયોને તપાસો. પ્લાન લેતી વખતે, બીમારી વિશે વીમા કંપનીને બધું જ જણાવો. તે કેટલા સમયથી છે, તે કેટલું ગંભીર છે, તમે કઈ દવાઓ લઈ રહ્યા છો, જો તમારી કોઈ હાર્ટ સર્જરી થઈ હોય, તો તેના વિશે પણ જણાવો. જ્યારે પોલિસી પેપર્સ આવે છે, ત્યારે કાળજીપૂર્વક તપાસો કે તમારા દ્વારા ઉલ્લેખિત શરતો તેમાં છે કે નહીં. આ ઉપરાંત રોગોના કવર માટે રાહ જોવાનો સમયગાળો ઓછામાં ઓછો રાખવાનો પ્રયાસ કરો. કેશલેસ નેટવર્ક ધરાવતી યોજનાઓ લો. કેટલીક યોજનાઓમાં ઓપીડી પણ આવરી લેવામાં આવે છે. આમ, આજના જમાનામાં આરોગ્ય વીમા ક્ષેત્રમાં ધરમૂળથી બધું બદલાયું છે, કોઈ પણ વ્યક્તિએ આરોગ્ય વીમો જરૂરથી લેવો જોઈએ, તે રોગો સામે સુવિધા પણ આપે છે સાથે જ ટેક્સ સેવર તરીકે પણ રક્ષણ મળે છે, આ ઉપરાંત વીમાં યોજના નાણા સરવાળે દેશમાં ફૂગાવો ફેલાતો પણ અટકાવે છે.