સરળ શબ્દોમાં કહીએ તો તમે એમ પણ કહી શકો છો કે જૂની ટેક્સ વ્યવસ્થા લાભો દ્વારા બચતને પ્રોત્સાહન આપે છે.
31 માર્ચ આવી રહી છે અને આ સાથે નાણાકીય વર્ષ 2024-25 પૂર્ણ થશે. નવું નાણાકીય વર્ષ 2025-26 પહેલી એપ્રિલથી શરૂ થશે. આ પછી, ટેક્સપેયર્સે જૂની અથવા નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરવાની રહેશે. જોકે, બંને રિઝીમ પોતાના ફાયદાઓ સાથે સમાન રીતે સારા છે. પરંતુ તમારા માટે કયો નિયમ શ્રેષ્ઠ રહેશે તે તમારી આવક, કપાત અને નાણાકીય ટાર્ગેટ્સ પર પણ આધાર રાખે છે.
જૂની ટેક્સ રિઝીમ
નવી ટેક્સ વ્યવસ્થા લાગુ થઈ તે પહેલાં, જૂની ટેક્સ વ્યવસ્થા અમલમાં હતી. જૂની પદ્ધતિમાં 70%થી વધુ મુક્તિ અને કપાત આપવામાં આવે છે. આનાથી વ્યક્તિની ટેક્સેબલ ઇન્કમ ઘટે છે અને ટેક્સ જવાબદારી ઓછી થાય છે. સૌથી વધુ પસંદગીની કપાત કલમ 80C હેઠળ છે, જે કરપાત્ર આવકમાંથી 1.5 લાખ રૂપિયા સુધીની કપાતની મંજૂરી આપે છે. જૂના ટેક્સ વ્યવસ્થા હેઠળની કેટલીક મુખ્ય કપાતમાં કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)માં કર્મચારીનું યોગદાન, રજા મુસાફરી ભથ્થા પર મુક્તિ (LTA), ઘર ભાડા ભથ્થા પર મુક્તિ (HRA), કલમ 80CCD (2) હેઠળ NPS માં નોકરીદાતાનું યોગદાન અને કલમ 80D હેઠળ આરોગ્ય વીમા પ્રીમિયમ કપાતનો સમાવેશ થાય છે.
12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી
નવા ટેક્સ રિઝીમ હેઠળ કેન્દ્રીય બજેટ 2025માં ટેક્સ સ્લેબમાં ફેરફારોની જાહેરાત કરવામાં આવી હતી. આ ફેરફારો 1 એપ્રિલ, ૨૦૨૫થી લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવાની જરૂર નથી. 75,000 રૂપિયાના પ્રમાણભૂત કપાત સાથે, આ કપાતની મર્યાદા વધીને 12.75 લાખ રૂપિયા થઈ જાય છે. નવી વ્યવસ્થા મર્યાદિત કપાત વિકલ્પ પ્રદાન કરે છે અને રાહત દરના ટેક્સ સ્લેબ પ્રોવાઇડ કરે છે. નવા નિયમ હેઠળ, NPSમાં નોકરીદાતાનું યોગદાન, સ્ટાન્ડર્ડ ડિડક્શન અને નિવૃત્તિ પર મળતી ગ્રેચ્યુઇટી કરમુક્ત છે.
જૂની કે નવી કઈ ટેક્સ રિઝીમ રહેશે સારી?
SBI જનરલ ઇન્શ્યોરન્સના ચીફ પ્રોડક્ટ અને માર્કેટિંગ ઓફિસર સુબ્રમણ્યમ બ્રહ્મજોસ્યુલાના જણાવ્યા અનુસાર, નવું નાણાકીય વર્ષ આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, ટેક્સપેયર્સ 2025માં ITR ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યા છે. નવી અને જૂની પદ્ધતિ વચ્ચે પસંદગી કરવા માટે આવક, કપાત અને નાણાકીય ટાર્ગેટ્સનો કાળજીપૂર્વક વિચાર કરવો જરૂરી છે. તેમણે કહ્યું કે, નવી વ્યવસ્થામાં, ઓછી કપાત સાથે ઓછો ટેક્સ ચૂકવવો પડશે. જૂની વ્યવસ્થા તમને છૂટ અને કપાતનો દાવો કરવાની મંજૂરી આપે છે. આનાથી જેમની પાસે કપાત છે તેમના માટે સંબંધિત વિભાગમાં બતાવવાનું ફાયદાકારક બને છે.
સરળ શબ્દોમાં કહીએ તો તમે એમ પણ કહી શકો છો કે જૂની ટેક્સ વ્યવસ્થા લાભો દ્વારા બચતને પ્રોત્સાહન આપે છે. નવી વ્યવસ્થા સરળ છે અને તેમાં કાગળકામ ઓછું છે. ઉપરાંત, કરચોરીની શક્યતા ઓછી થાય છે. જોકે, ટેક્સ વ્યવસ્થાની પસંદગી કોઈપણ વ્યક્તિની નાણાકીય પરિસ્થિતિ પર આધાર રાખે છે.