700 કરોડનો વધુ એક IPO લાઇનમાં, 210 કરોડના નવા શેર કરવામાં આવશે ઇશ્યૂ
Excelsoft Technologies IPO માટે આનંદ રાઠી એડવાઇઝર્સ એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે. Excelsoft Technologies 17 દેશોમાં 71 કસ્ટમર્સને સર્વિસ આપે છે. કંપનીએ નાણાકીય વર્ષ 24 માટે રુપિયા 12.75 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
Excelsoft Technologies તેના પબ્લિક ઇશ્યૂ દ્વારા રુપિયા 700 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવા માંગે છે.
Excelsoft Technologies તેના પબ્લિક ઇશ્યૂ દ્વારા રુપિયા 700 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવા માંગે છે. કંપનીએ 28 ફેબ્રુઆરીના રોજ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યો હતો. આ મુજબ, IPOમાં 210 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર હશે. 490 કરોડ રૂપિયાના શેરની ઓફર-ફોર-સેલ પણ હશે. ઓફર-ફોર-સેલ દ્વારા, કંપનીના પ્રમોટર્સ પેદાન્થા ટેક્નોલોજીસ રુપિયા 340 કરોડના શેર વેચશે અને ધનંજય સુધન્વા રુપિયા 150 કરોડના શેર વેચશે.
Excelsoft Technologiesએ SaaS (સર્વિસ તરીકે સોફ્ટવેર) કંપની છે. તે લર્નિંગ અને એસેસમેન્ટ માટે ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સ પ્રોવાઇડ કરે છે. કંપની IPO પહેલાના રાઉન્ડમાં રુપિયા 270 કરોડ સુધી એકત્ર કરવાનું વિચારી શકે છે. એક્સેલસોફ્ટે જણાવ્યું હતું કે, "જો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ કરવામાં આવશે, તો નવા શેરના ઈશ્યુના સાઇઝ અને/અથવા આઈપીઓમાં વેચાણના ભાગની ઓફર દ્વારા એકત્ર કરાયેલી રકમમાં ઘટાડો થશે."
IPOના પૈસા કેવી રીતે વાપરવામાં આવશે?
એક્સેલસોફ્ટ IPOમાં નવા શેર જારી કરવાથી મળેલી રકમનો ઉપયોગ જમીન ખરીદવા અને નવી ઇમારત બનાવવા માટે કરવાનો ઇરાદો ધરાવે છે; આ પ્રોજેક્ટ કર્ણાટકના મૈસુર ખાતે હાલની સુવિધાના અપગ્રેડેશન અને એક્સટર્નલ ઇલેટ્રિકલ સિસટમની સ્થાપના માટે છે. આ સિવાય ફંડનો ઉપયોગ IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ કરવામાં આવશે. આનંદ રાઠી એડવાઇઝર્સ IPO માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.
Excelsoft Technologiesની ફાઇનાન્શિયલ સ્થિતિ
Excelsoft Technologies 17 દેશોમાં 71 ક્લાયન્ટ્સને સર્વિસ આપે છે. કંપનીએ નાણાકીય વર્ષ 24માં રુપિયા 12.75 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. આ ગયા વર્ષના રુપિયા 22.4 કરોડના નફા કરતાં ઘણું ઓછું છે. આ જ સમયગાળા દરમિયાન કંપનીની આવક વાર્ષિક ધોરણે નજીવી વધીને નાણાકીય વર્ષ 23 માં રુપિયા 195.1 કરોડથી રુપિયા 198.3 કરોડ થઈ છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. એક રોકાણકાર તરીકે, રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકન્ટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકાણ કરવાની ભલામણ કરતું નથી.