Gujarat News: તાપીના વ્યારામાં આવેલા મળાવ પુલ પાસેથી એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. પુરૂષનો મૃતદેહ પુલની એન્ગલ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. મૃતક બારડોલીના કડોદ ગામના પૂર્વ સરપંચ સુરેશ રાઠોડ હોવાનો ખુલાસો થયો છે. જો કે ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ અને વધુ તપાસ હાથ ધરી છે.



