Operation Sindoor: પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ પર સેનાના પરાક્રમને નમન કર્યા છે. 26 નિર્દોષોના મોતનો બદલો લેવા માટે કરાયેલી આ કાર્યવાહી બાદ પીએમએ આતંકવાદ વિરુદ્ધ ભારતનો અડગ સંકલ્પ દોહરાવ્યો છે.
Operation Sindoor: પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ પર સેનાના પરાક્રમને નમન કર્યા છે.
PM Modi on Terrorism: ભારત સરકાર આતંકવાદ અને તેને પોષનારા તત્વો સામે ઝૂકવા તૈયાર નથી, તેવો સ્પષ્ટ અને આકરો સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે. ભારતીય સેનાના અદભૂત પરાક્રમ સમાન 'ઓપરેશન સિંદૂર'ની આજે પ્રથમ વર્ષગાંઠ છે. આ ખાસ અવસરે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર દેશની સુરક્ષા માટે જાનની બાજી લગાવનારા સૈનિકોને નમન કર્યા હતા અને દેશની સુરક્ષા સામે આંખ ઉઠાવનારાઓને ચેતવણી આપી હતી.
સેનાના પરાક્રમે દુનિયાને બતાવ્યો ભારતનો દમ
પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, એક વર્ષ વીતી ગયું હોવા છતાં આતંકવાદને જડમૂળથી ઉખેડી ફેંકવાનો ભારતનો સંકલ્પ આજે પણ તેટલો જ મજબૂત છે. તેમણે કહ્યું કે, "ગત વર્ષે આ ઓપરેશન દરમિયાન આપણી સેનાએ જે બહાદુરી અને ચોકસાઈ બતાવી હતી, તેણે સમગ્ર વિશ્વને ભારતની સુરક્ષા શક્તિનો પરચો આપી દીધો હતો." ભારત હવે માત્ર રક્ષા નથી કરતું, પણ જરૂર પડે ત્યારે આક્રમક જવાબ આપવાની પણ ક્ષમતા ધરાવે છે.
A year ago, our armed forces displayed unparalleled courage, precision and resolve during #OperationSindoor. They gave a fitting response to those who dared to attack innocent Indians at Pahalgam. The entire nation salutes our forces for their valour.
Operation Sindoor reflected… — Narendra Modi (@narendramodi) May 7, 2026
શા માટે હાથ ધરવામાં આવ્યું હતું ‘ઓપરેશન સિંદૂર'?
આ સૈન્ય કાર્યવાહી પાછળ એક દર્દનાક ઘટના જવાબદાર હતી. 22 April, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો, જેમાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદ દેશભરમાં રોષ જોવા મળ્યો હતો.
સેનાએ આ હુમલાનો બદલો લેવા માટે પ્લાન તૈયાર કર્યો અને 6 અને 7 May ના રોજ સરહદ પાર છુપાયેલા આતંકીઓના અડ્ડાઓ પર ત્રાટકી હતી. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સેનાએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને ઠાર માર્યા હતા. પીએમ મોદીએ આ ઓપરેશનને ભારતની સૈન્ય ક્ષમતા અને સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભરતા'નું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું છે.
ऑपरेशन सिंदूर में भारत को मिली असाधारण विजय हमारे वीर सैनिकों के अद्भुत पराक्रम और देशभक्ति की प्रेरक मिसाल है। उनके अदम्य साहस, दृढ़ संकल्प और कर्तव्यनिष्ठा पर हर देशवासी को गर्व है। उदीर्णमनसो योधा वाहनानि च भारत। यस्यां भवन्ति सेनायां ध्रुवं तस्यां जयं वदेत्।।… pic.twitter.com/SBZ9EyjIP6 — Narendra Modi (@narendramodi) May 7, 2026
સંસ્કૃત સુભાષિત દ્વારા સૈનિકોનું વધાર્યું મનોબળ
વડાપ્રધાને તેમના સંદેશમાં એક પ્રેરણાદાયી સંસ્કૃત સુભાષિતનો ઉલ્લેખ પણ કર્યો છે:
જે સેનામાં સૈનિકોનો ઉત્સાહ ઉચ્ચ હોય, જેમનામાં અતૂટ મનોબળ હોય અને જે સેના આધુનિક યુદ્ધ સાધનોથી સજ્જ હોય, તેની જીત હંમેશા નિશ્ચિત હોય છે.
રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં
પીએમ મોદીએ અંતમાં વિશ્વાસ અપાવ્યો હતો કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગમે તેટલા કઠોર પગલાં લેવા પડશે તો સરકાર પાછીપાની નહીં કરે. આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ યથાવત રહેશે. ભારત તેની સરહદો અને નાગરિકોની સુરક્ષા માટે સજ્જ છે અને કોઈ પણ પડોશી દેશ દ્વારા પ્રેરિત આતંકવાદને હવે સહન કરવામાં આવશે નહીં.
આમ, ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ માત્ર એક વિજયનો ઉત્સવ નથી, પરંતુ તે ભારતની બદલાયેલી રણનીતિ અને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિનું પ્રતીક પણ છે.