ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલની વાતચીતમાં ભારતીય ખેડૂતોના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે ભારત આંખો બંધ કરીને કોઈ નિર્ણય નહીં લે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, “અમારી પ્રાથમિકતા ખેડૂતોના હિતોની રક્ષા કરવાની છે. અમે ફાયદા અને નુકસાનનું આકલન કરીને જ ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપીશું.” આ નિવેદન અમેરિકાના કૃષિ ઉત્પાદનો માટે ભારતીય બજારમાં વધુ પ્રવેશની માંગના સંદર્ભમાં આવ્યું છે.



