ODI WC 2011: વાનખેડમાં જ્યાં લાગી હતી વર્લ્ડકપ વિનિંગ સિક્સર તે જગ્યાંને અપાશે એમ.એસ.ધોનીનું નામ
વાનખેડે સ્ટેડિયમમાં મહેન્દ્ર સિંહ ધોનીના નામે એક સીટ હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ક્રિકેટ એસોસિએશને ધોનીના સન્માનમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમની એક સીટનું નામ નક્કી કર્યું છે. એમસીએના પ્રમુખ અમોલ કાળેએ કહ્યું કે ધોનીએ જ્યાં સિક્સ ફટકારી હતી તે વિસ્તારની ઓળખ કરી લેવામાં આવી છે. બોલ એમસીએ પેવેલિયનમાં ઉતર્યો હતો
મુંબઈ ક્રિકેટ એસોસિએશને એમએસ ધોનીના સન્માનમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમની એક સીટનું નામ નક્કી કર્યું છે.
ODI WC 2011: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની) એ 12 વર્ષ પહેલા મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં સિક્સર ફટકારીને ભારતને ODIમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. 2011 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં, ધોનીએ શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન કુલકેસ્કરાના બોલ પર સ્કાય હાઇ સિક્સ ફટકારીને 28 વર્ષ પછી ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. આજ સુધી દરેક ભારતીય એ ઐતિહાસિક છગ્ગાને યાદ કરે છે. હવે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ ધોનીને સન્માનિત કરવા માટે ખાસ પ્લાન બનાવ્યો છે.
અહેવાલો અનુસાર, વાનખેડે સ્ટેડિયમમાં એક સીટ હશે જેનું નામ એમએસ ધોની રાખવામાં આવશે. સ્પોર્ટસ્ટારના જણાવ્યા અનુસાર, મુંબઈ ક્રિકેટ એસોસિએશને એમએસ ધોનીના સન્માનમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમની એક સીટનું નામ નક્કી કર્યું છે. એમસીએના પ્રમુખ અમોલ કાળેએ કહ્યું કે ધોનીએ જ્યાં સિક્સ ફટકારી હતી તે વિસ્તારની ઓળખ કરી લેવામાં આવી છે.
બોલ એમસીએ પેવેલિયનમાં પડ્યો હતો. કાલેએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે બોલ જ્યાં ઉતર્યો હતો તે ચોક્કસ સ્થળની ઓળખ કરી લેવામાં આવી છે. ટૂંક સમયમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટનના નામ પર એક સીટ હશે. આ સીટ એ જ જગ્યા હશે જ્યાં તેણે 2011 વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકા સામે વિજયી સિક્સ ફટકારી હતી.
ઉદઘાટનની ચોક્કસ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. તે ધોનીની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે. જોકે, એમસીએ આ સીટનું ઉદ્ઘાટન ખુદ ધોની સાથે કરવાની તૈયારી કરી રહ્યું છે. ધોનીની ટીમ CSK 8 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં IPL મેચ માટે મુંબઈ જશે. વાનખેડે ખાતે ધોનીની મેચ વિનિંગ સિક્સરે ભારતને 28 વર્ષ બાદ વર્લ્ડ કપની ટ્રોફી અપાવી હતી.
વિજય સ્મારક બનાવવાની તૈયારી
એમસીએ એ જ જગ્યાએ વિજય સ્મારક બનાવવા માંગે છે જ્યાં ધોનીનો બોલ પડ્યો હતો. 8મી એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ પણ છે, તેથી એમસીએએ ધોનીને પોતે તેનું ઉદ્ઘાટન કરવાની અપીલ કરી છે. એમસીએના પ્રમુખ અમોલ કાલેએ જણાવ્યું હતું કે એમસીએએ નિર્ણય લીધો છે કે વાનખેડે સ્ટેડિયમના સ્ટેન્ડમાં ધોનીની અંતિમ છગ્ગા જ્યાં પડી હતી તે જગ્યાએ એક નાનું વિજય સ્મારક બનાવવામાં આવશે. તે 2011 વર્લ્ડ કપ જીતવાની યાદમાં બનાવવામાં આવશે. તેના ઉદ્ઘાટન પ્રસંગે મહેન્દ્ર સિંહ ધોનીનું વિશેષ સન્માન કરવામાં આવશે.