પાકિસ્તાની કોર્ટે ઇમરાન ખાનને આપી રાહત, હાલ પુરતું ધરપકડ વોરંટ કરાયું રદ, આગામી સુનાવણી 30 માર્ચે - pakistan court cancels imran khans arrest warrant postpones hearing till march | Moneycontrol Gujarati
Get App

પાકિસ્તાની કોર્ટે ઇમરાન ખાનને આપી રાહત, હાલ પુરતું ધરપકડ વોરંટ કરાયું રદ, આગામી સુનાવણી 30 માર્ચે

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Pakistan Ex PM Imran Khan) તોશાખાના કેસમાં ફરી એકવાર ધરપકડથી બચી ગયા છે. લાહોરમાં તેના ઘરે પણ રેડ પાડવામાં આવી હતી જે દરમિયાન ઈમરાન અને તેના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે કોર્ટે ઈમરાનની ધરપકડ રદ કરી દીધી છે અને સુનાવણી 30 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે.

અપડેટેડ 12:30:20 PM Mar 19, 2023 પર
Story continues below Advertisement

આ દિવસોમાં પાકિસ્તાનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Pakistan Ex PM Imran Khan) તોશાખાના કેસમાં ફરી એકવાર ધરપકડથી બચી ગયા છે. લાહોરમાં તેના ઘરે પણ રેડ પાડવામાં આવ્યો હતો જે દરમિયાન ઈમરાન અને તેના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે કોર્ટે ઈમરાનની ધરપકડ રદ કરી છે.

કોર્ટે ઈમરાન ખાનને આપી મંજૂરી

તોશાખાના કેસની સુનાવણીમાં, એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ (ADSJ) ઝફર ઈકબાલે ઈમરાન ખાનને કોર્ટ પરિસરની બહાર તેમની હાજરી ચિહ્નિત કર્યા પછી ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી કર્યા વિના જવાની મંજૂરી આપી હતી. ઈમરાન પર ચાલી રહેલી સુનાવણી 30 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે.


ઈમરાનના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

આપને જણાવી દઈએ કે પોલીસે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના લાહોરમાં સ્થિત ઘર પર પણ રેડ પાડી હતી પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પોલીસે 10,000થી વધુ પોલીસકર્મીઓ સાથે લાહોરના જમાન પાર્કમાં ઈમરાનના ઘરે દરોડા પાડ્યા હતા. જે બાદ ત્યાંની સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. આ દરમિયાન પોલીસે ઈમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ઓછામાં ઓછા 61 કાર્યકરોની પણ ધરપકડ કરી હતી. આ દરમિયાન ઈમરાન સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું જેમાં ત્રણ પોલીસકર્મીઓ સહિત 10 ઈમરાન સમર્થકો પણ ઘાયલ થયા હતા.

ઇમરાન ખાન કેસ સંબંધિત તમામ અપડેટ્સ

પોલીસે લાહોરમાં ઈમરાન ખાનના ઘર પર દરોડા પાડ્યા હતા અને તોશાખાના કેસમાં તેમની ધરપકડને રોકવા માટે તેમના સમર્થકો દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ્સને હટાવી દીધા હતા. પંજાબ પોલીસના એડિશનલ જનરલ ડો. ઉસ્માન અનવરે જણાવ્યું હતું કે ખાનના ઘરેથી કલાશ્નિકોવ સહિત 20 રાઈફલ્સ અને પેટ્રોલ બોમ્બની બોટલો મળી આવી હતી. ઈમરાન ખાનના કેસ અંગે ન્યાયાધીશે કહ્યું હતું કે પરિસ્થિતિ એવી છે કે સુનાવણી અને હાજરી આગળ વધી શકતી નથી, તેથી જે લોકો અહીં એકઠા થયા છે તેઓ તેમની હાજરી ચિહ્નિત કરીને બહાર નીકળી જાય. તોપમારો કે પથ્થરમારાની જરૂર નથી, આજે સુનાવણી થઈ શકશે નહીં

ઈમરાને રેડને ગણાવી કોર્ટની અવમાનના

તેમના નિવાસસ્થાન પરના દરોડા અંગે પ્રતિક્રિયા આપતા ખાને તેને કોર્ટની અવમાનના ગણાવી હતી. તેમણે કહ્યું, "હું તિરસ્કાર, મારા ઘરની પવિત્રતાના ભંગ અને મારા સ્ટાફ વિરૂદ્ધ હિંસાનો મામલો અમારી ન્યાયતંત્ર સાથે તરત ઉઠાવીશ." ઈમરાન ખાને કહ્યું કે પોલીસે તેમના ઘર પર રેડ પાડ્યો જ્યાં તેમની પત્ની બુશરા બીબી એકલી હતી.

આ પણ વાંચો - ઉત્તર કોરિયા ફરી એકવાર US પર ભડક્યું, ફરી કર્યું મિસાઇલ ટેસ્ટિંગ, દ.કોરિયા સાથે જોઇન્ટ એક્સસાઇઝનો આપ્યો જવાબ

MoneyControl News

MoneyControl News

First Published: Mar 19, 2023 12:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.