Kerala Train: કેરળમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક લોકો પાયલોટ (ડ્રાઈવર) સ્ટેશન પર ટ્રેન રોકવાનું ભૂલી ગયો. મુસાફરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા રહ્યા. ટ્રેન લગભગ એક કિલોમીટર આગળ નીકળી ગઈ હતી. બાદમાં જ્યારે લોકો પાયલટને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તે ટ્રેનને સ્ટેશન પર પાછી લાવ્યો. હાલમાં આ મામલે રેલવે પ્રશાસનને ફરિયાદ કરવામાં આવી છે. જેમાં લોકો પાયલોટ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો કેરળના અલપ્પુઝા જિલ્લાનો છે. અહીંના ચેરિયાનાદ રેલવે સ્ટેશન પર ટ્રેનના સ્ટોપેજ બાદ પણ વેનાડ એક્સપ્રેસ ઉભી રહી ન હતી.
સ્ટેશન પર ટ્રેન આવવાની જાહેરાત થઈ. લોકો તેમના સામાન સાથે પ્લેટફોર્મ પર ઉભા હતા. પરંતુ ટ્રેન નોન સ્ટોપ રવાના થઈ હતી. લોકો ટ્રેન પકડવા દોડ્યા પણ કોઈ ફાયદો થયો નહીં. બાદમાં સ્ટેશન પર ટ્રેનને રિવર્સમાં લાવવામાં આવી હતી.
ચેરિયાનાદ સ્ટેશન માવેલીક્કારા અને ચેંગન્નુર વચ્ચે છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના અંગે કોઈ મુસાફરે ફરિયાદ કરી નથી. આનું કારણ એ છે કે કોઈને વધારે મુશ્કેલી ન પડી. ટ્રેનને રિવર્સમાં લાવવામાં લગભગ 8 મિનિટનો સમય લાગ્યો હતો. આગળની મુસાફરી દરમિયાન આ સમયને લોકો પાયલોટે કવર કર્યો હતો અને ટ્રેન પણ સમયસર તેના ગંતવ્ય સ્થાને પહોંચી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ચેરિયાનાદ રેલવે સ્ટેશન પર કોઈ સિગ્નલ લગાવવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે સિગ્નલ મોટા સ્ટેશનો પર જ લગાવવામાં આવે છે. જેના કારણે આવી ભૂલ થઈ હશે.
લોકો પાયલોટ પાસેથી મંગાશે ખુલાસો
અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેન નિર્ધારિત કરતાં 7-8 મિનિટ મોડી સ્ટેશન પર પહોંચી હતી, જોકે આ સમય પણ પાછળથી આવરી લેવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે ચેરિયાનાદ સ્ટેશન પર કોઈ સિગ્નલ કે સ્ટેશન માસ્ટર નથી. જેના કારણે ટ્રેનને રિવર્સ કરવાનો લોકો પાયલટનો ખોટો નિર્ણય હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ અંગે લોકો પાયલટ પાસેથી ખુલાસો માંગવામાં આવશે.