તુર્કીના વર્તમાન રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોઆન રવિવારે ફરી એકવાર આ પદ માટે ચૂંટણી જીત્યા. અર્દોઆને 28 મેના રોજ રન-ઓફ રાઉન્ડ જીત્યો હતો. અર્દોઆને રાષ્ટ્રપતિની ચૂંટણીના બીજા રાઉન્ડમાં 52.14 ટકા વોટ સાથે જીત મેળવી હતી. એવું માનવામાં આવે છે કે આ ત્રીજા કાર્યકાળમાં અર્દોઆન લોકલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનશે.
સમાચાર એજન્સી AFPના જણાવ્યા અનુસાર ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે રેસેપ તૈયપ અર્દોઆન તેમના વિરોધી હરીફને 20 લાખથી વધુ મતોથી આગળ રહ્યા છે. ચૂંટણીના અંતિમ પરિણામો 1 જૂનના રોજ ઓફિશિયલ બુલેટિનમાં પ્રકાશિત કરવામાં આવશે.
તુર્કીના વર્તમાન રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોઆન રવિવારે આ પદની ચૂંટણીમાં ફરી એકવાર વિજયી થયા હતા. અર્દોઆને 28 મેના રોજ રન-ઓફ રાઉન્ડ જીત્યો હતો. અર્દોઆને રાષ્ટ્રપતિની ચૂંટણીના બીજા રાઉન્ડમાં 52.14 ટકા વોટ સાથે જીત મેળવી હતી. એર્દોઆન એવા સમયે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા હતા જ્યારે દેશ અતિ ફુગાવો અને ભૂકંપની અસરો સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રેસેપ તૈયપ અર્દોઆનને તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગ્લોબલ બાબતો પર ભારત-તુર્કી સંબંધો વધુ મજબૂત બનશે.
મુખ્ય ચૂંટણી અધિકારી અહમેટ યેનેરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 99.43 ટકા મતપત્રોની ગણતરી બાદ અર્દોઆનને 52.14 ટકા જ્યારે કેમલા કિલિકડારોગ્લુને 47.86 મત મળ્યા હતા. રેસેપ તૈયપ અર્દોઆન તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.
સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે રેસેપ તૈયપ અર્દોઆન તેમના વિરોધી હરીફને 20 લાખથી વધુ મતોથી આગળ કરી રહ્યા છે. ચૂંટણીના અંતિમ પરિણામો 1 જૂનના રોજ ઓફિશિયલ બુલેટિનમાં પ્રકાશિત કરવામાં આવશે.
PM મોદીએ સોમવારે ટ્વીટ કર્યું, 'તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા પર રેસેપ તૈયપ અર્દોઆનને અભિનંદન. મને વિશ્વાસ છે કે આપણા દ્વિપક્ષીય સંબંધો અને ગ્લોબલ બાબતો પર સહયોગ આવનારા સમયમાં વધતો રહેશે.
(અહીં ટ્વીટ મુકવું)
તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપના 3 મહિના બાદ આ ચૂંટણી થઈ હતી, જેમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા. ભૂકંપ બાદ તુર્કીમાં 20 વર્ષ સુધી સત્તા પર રહેલા અર્દોઆન પર સવાલો ઉભા થયા હતા. તુર્કીનું ચલણ પણ ડોલર સામે તેની સર્વકાલીન નીચી સપાટીએ છે. ફુગાવો 40 ટકાથી વધુ છે. જો કે આમ છતાં અર્દોઆન ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.
તે જ સમયે, તે નિશ્ચિત છે કે અર્દોઆનનું નિરંકુશ શાસન એવા સમયે ચાલુ રહેશે જ્યારે દેશ અતિ ફુગાવો અને ભૂકંપની અસરોથી ઝઝૂમી રહ્યો છે જેણે ઘણા શહેરોને અસર કરી છે. આ ચૂંટણી જીત્યા બાદ અર્દોઆન 2028 સુધી રાષ્ટ્રપતિ રહેશે.
આ ત્રીજા કાર્યકાળમાં, અર્દોઆન લોકલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનશે અને આ ચૂંટણીના પરિણામો રાજધાની અંકારાની બહાર અનુભવાશે. તુર્કી યુરોપ અને એશિયા બંને માટે મહત્વપૂર્ણ છે અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.