Axis Bank ના શેરમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ 'નેટ ઇન્ટરેસ્ટ માર્જિન' (NIM) માં રિકવરી અંગેની ચિંતા છે.
Axis Bank Share Price: શેરબજારમાં આજે પ્રાઈવેટ સેક્ટરની દિગ્ગજ બેંક Axis Bank ના શેરોમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો અને બેંકના મેનેજમેન્ટ દ્વારા ભવિષ્યના અંદાજમાં કરવામાં આવેલા ફેરફારને કારણે શેરના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
આજે નિફ્ટી 50 (Nifty 50) ના ટોપ લૂઝર્સમાં એક્સિસ બેંકનો સમાવેશ થયો હતો. જાણો શું છે સમગ્ર મામલો અને બ્રોકરેજ હાઉસ હવે રોકાણકારોને શું સલાહ આપી રહ્યા છે.
Axis Bank ના શેરમાં ઘટાડાનું મુખ્ય કારણ
Axis Bank ના શેરમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ 'નેટ ઇન્ટરેસ્ટ માર્જિન' (NIM) માં રિકવરી અંગેની ચિંતા છે. બેંક મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી છે કે બેંકના માર્જિનમાં સુધારો થવામાં ધારણા કરતા વધુ સમય લાગી શકે છે.
પહેલાનો અંદાજ: બેંકને આશા હતી કે નાણાકીય વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં NIM રિકવર થઈ જશે.
નવો અંદાજ: હવે બેંકનું કહેવું છે કે રિકવરી માટે નાણાકીય વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટર અથવા 2027 ના પહેલા ક્વાર્ટર સુધી રાહ જોવી પડી શકે છે.
આ સમાચાર બહાર આવતાની સાથે જ શેરમાં 4% સુધીનો કડાકો બોલી ગયો હતો. BSE પર શેર 3.88% ના ઘટાડા સાથે ₹1234.35 ના ભાવે બંધ રહ્યો હતો.
બ્રોકરેજ ફર્મ Citi Researchનું શું કહેવું છે?
બેંકના મેનેજમેન્ટ સાથેની વાતચીત બાદ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ Citi Research એ પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે.
સીટી રિસર્ચ મુજબ, માર્જિન રિકવરી ધીમી (C-Shaped) રહી શકે છે.
આગામી 15-18 મહિનામાં 3.8% NIM નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
સીટીએ Axis Bank ના શેર પર 'Neutral' રેટિંગ યથાવત રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઈસ ₹1,285 નક્કી કરી છે.
જોકે, બ્રોકરેજ ફર્મે નોંધ્યું છે કે બેંકનો કોર્પોરેટ સેગમેન્ટ અને રિટેલ બિઝનેસ સારી રીતે આગળ વધી રહ્યો છે. ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયો પરનું દબાણ પણ હવે હળવું થઈ રહ્યું છે અને પર્સનલ લોન ગ્રોથ સ્થિર છે.
એક વર્ષમાં શેરની ચાલ કેવી રહી?
છેલ્લા એક વર્ષના ડેટા પર નજર કરીએ તો, Axis Bank ના શેરે રોકાણકારોને મિશ્ર વળતર આપ્યું છે.
52 વીક હાઈ: 27 નવેમ્બર 2025 ના રોજ શેર ₹1304.00 પર પહોંચ્યો હતો.
52 વીક લો: 27 જાન્યુઆરી 2025 ના રોજ શેર ₹934.00 ના નીચલા સ્તરે હતો.
નીચલા સ્તરેથી શેરમાં લગભગ 40% જેટલો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ હાલના ઘટાડાએ શોર્ટ ટર્મ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.