એક્સિસ બૅન્કને કોન્ફીડન્સ છે કે ઈક્વિટી રિટર્ન 18 ટકાના સ્તરે સ્થિર રહેશે અને આગામી સમયમાં ફંન્ડિંગ પ્રોફાઈલ સુધરવાથી વોલેટિલિટી ઘટશે અને વ્યાજનું માર્જિન પણ સુધરશે. પરિણામે હાલના સમયમાં એક્સિસ બૅન્કનો શૅર આકર્ષક હોવાનું જેફરીઝે કહ્યું હતું.
એક્સિસ બૅન્કને કોન્ફીડન્સ છે કે ઈક્વિટી રિટર્ન 18 ટકાના સ્તરે સ્થિર રહેશે અને આગામી સમયમાં ફંન્ડિંગ પ્રોફાઈલ સુધરવાથી વોલેટિલિટી ઘટશે અને વ્યાજનું માર્જિન પણ સુધરશે. પરિણામે હાલના સમયમાં એક્સિસ બૅન્કનો શૅર આકર્ષક હોવાનું જેફરીઝે કહ્યું હતું.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બૅન્કમાં રિટેલ ડિપોઝીટ્સના હિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જેથી એકંદર ફંન્ડિંગનું ચિત્ર સુધરી રહ્યું છે. આ સિવાય કસ્ટમર એક્સપિરિયન્સમાં સુધારો, બ્રાન્ચ સ્ટાફની પુનઃરચના, કોર્પોરેટ સેલેરી અકાઉન્ટ ઉપર ફોકસ અને ડિજિટલ બૅન્કિંગ પ્લેટફોર્મ્સના ટેકે બૅન્કની વૃદ્ધિ થશે.
ફંન્ડિંગમાં એકંદર સુધારો થવાની પ્રક્રિયામાં ૧૮-૨૪ મહિનાનો સમય લાગી શકે છે. છેલ્લા એક વર્ષમાં રિટેલ ફંડ્સના હિસ્સામાં વધારો થવાથી આઉટફ્લો રેટમાં ઘટાડો થયો છે. બૅન્કના મેનેજમેન્ટનું માનવું છે કે ક્રેડિટ વૃદ્ધિ 12-13 ટકાના સ્તરે થતી રહેશે અને એક્સિસ બૅન્કની એકંદર વૃદ્ધિ 16-19 ટકાના દરે થશે.
જેફરીઝનું કહેવુ છે કે કોર્પોરેટ ધિરાણમાં પ્રાઈસિંગનું ચિત્ર સુધર્યું છે. મૂડીખર્ચના ચક્રમાં પણ સુધારો થયો છે પરંતુ બૅન્કો અને પ્રમોટર્સને મૂડીખર્ચ બાબતે ચિંતા છે. અમારો અંદાજ છે કે નાણા વર્ષ-23થી 26 દરમિયાન બૅન્કનો નફો 16 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધશે અને ઈક્વિટી રિટર્ન 18 ટકાના સ્તરે રહેશે.
મૂલ્યાંકન ઉપર નજર કરીએ તો 12 મહિનાના ફોરવર્ડ એડજેસ્ટેડ પીબી 18 ગુણાંકમાં છે જે આઈસીઆઈસીઆઈ બૅન્ક અને એચડીએફસી બૅન્કની સરખામણીએ પચ્ચીસ ટકા ઓછો છે. પરિણામે હાલના સમયમાં બૅન્કનો શૅર ખરીદવા માટે સારો સમય છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.