Raghuram Rajan Indian Stock Market: ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય શેરબજારના ભવિષ્યને લઈને એક મહત્વપૂર્ણ અને રસપ્રદ વાત કરી છે. તેમનું માનવું છે કે છેલ્લા એક વર્ષથી જે બજાર લગભગ સ્થિર રહ્યું છે, તેમાં જોરદાર તેજી આવવાની સંભાવના છે, પરંતુ તેના માટે માત્ર એક જ 'ટ્રિગર'ની જરૂર છે. જો તે સફળ થશે, તો વિદેશી રોકાણકારો ફરીથી ભારત તરફ આકર્ષાશે.



