મિશ્ર વૈશ્વિક પરિબળોને લીધે હાલના સમયમાં શૅરબજારમાં વોલેટિલિટી હોવાથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ અમૂક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડથી ટૂંકા ગાળે તેમ જ લાંબા ગાળે કમાણી કરી શકાય છે. પરંતુ પોર્ટફોલિયોનું સંચાલન વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો જ ચક્રવૃદ્ધિનો ખરો ફાયદો રોકાણકારોને થાય છે. સફળ રોકાણકારોની શરૂઆત સારી હોય છે અને તેઓ નાણાકીય ડિસિપ્લિન રાખે છે અને જોખમ પણ ગણતરી કરીને જ લેતા હોય છે
ટેકનોલોજીનો સદઉપયોગ કરીને પોતાના એક્ટિવ પોર્ટફોલિયોનું સંચાલન જવાબદારીથી કરતા રહેવુ જોઈએ.
મિશ્ર વૈશ્વિક પરિબળોને લીધે હાલના સમયમાં શૅરબજારમાં વોલેટિલિટી હોવાથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ અમૂક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડથી ટૂંકા ગાળે તેમ જ લાંબા ગાળે કમાણી કરી શકાય છે. પરંતુ પોર્ટફોલિયોનું સંચાલન વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો જ ચક્રવૃદ્ધિનો ખરો ફાયદો રોકાણકારોને થાય છે. સફળ રોકાણકારોની શરૂઆત સારી હોય છે અને તેઓ નાણાકીય ડિસિપ્લિન રાખે છે અને જોખમ પણ ગણતરી કરીને જ લેતા હોય છે.
ઈક્વિટી આધારિત ફંડ્સમાં વધુ પ્રમાણમાં ફાળવણીથી લાંબા ગાળે ફાયદો થઈ શકે છે. નિવૃત્તિ ભંડોળ એકઠુ થઈ શકે છે, તેમ જ બાળકોના ઉચ્ચ ભણતર માટેનો ખર્ચ પણ નીકળી શકે છે. બીજી બાજુ ફિક્સ્ડ ઈનકમ ફંડ્સથી ટૂંકા ગાળાની જરૂરિયાત પુરી કરી શકાય છે જેમ કે કાર ખરીદવી અથવા ઈમરજન્સી ભંડોળ એકત્ર કરવું.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું હોય ત્યારે રોકાણકારો ખૂબ જ ગૂંચવાય છે કારણ કે ઈન્ટરનેટમાં વિપુલ પ્રમાણમાં માહિતી મળી રહે છે. જે નવા રોકાણકારો છે તેમના માટે ઈન્ટરનેટની માહિતી વરદાન સ્વરૂપ છે. નાણાકીય બજાર વિશે મૂળભૂત જાણકારી દરેક રોકાણકારો હોવી જ જોઈએ.
મોટા ભાગના રોકાણકારો તેમના રોકાણ સંબંધિત નિર્ણય ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ ઉપર છોડતા હોય છે. ઘણા રોકાણકારોને પોતાના પોર્ટફોલિયો વિશે વધુ માહિતી પણ હોતી નથી. જોકે, રોકાણકારોએ અમૂક માહિતી રાખવી જોઈએ. આ બાબતે વધુ ગૂંચવણ કરનારી નથી. તેમ જ અમૂક બાબતો શીખવા માટે બહુ સમય જતો નથી.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યા બાદ તેનું મોનિટરિંગ કરવુ જોઈએ. જે ફંડમાં નાણા રોકવામાં આવ્યા હોય તેમાં રોકાણ યથાવત્ રાખવુ કે કાઢી લેવો એ બાબતે સમયાંતરે વિચારતા રહેવુ જોઈએ. જો રોકાણ એક વર્ષથી વધુ સમય માટે કરવામાં આવ્યુ હોય તો વોલેટિલિટીની ચિંતા કરવી જોઈએ નહીં. પરંતુ જેમ તમારા શરીર કે વાહનોની નિયમિત ચેકિંગ કરતા હોવ છો એમ પોર્ટફોલિયો ઉપર પણ નજર રાખવી જોઈએ.
ઈક્વિટી ફંડ્સમાં નોંધપાત્ર વોલેટિલિટી હોય છે. બીજી બાજુ ડેબ્ટ ફંડ્સમાં સ્થિરતા વધુ હોય છે અને રિટર્ન પણ નિશ્ચિત મળે છે. જોકે, રોકાણકારોએ કોઈ પણ એક જ પ્રકારના ફંડ્સમાં બધુ રોકાણ કરી દેવુ ન જોઈએ. આનાથી પોર્ટફોલિયો સામે જોખમ નિર્માણ થઈ શકે છે. જેમ કે ફક્ત ઈક્વિટી ફંડ્સમાં રોકાણ કરવાથી વોલેટિલિટીના સમયે પોર્ટફોલિયોમાં ખુબ જ ઘટાડો થાય છે. જ્યારે ફક્ત ડેબ્ટ ફંડ્સમાં રોકાણ કરવાથી બજારની ઘણી તક ગુમાવી પડવાની શક્યતા રહે છે.
પરિણામે પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ લાવવુ જોઈએ. રોકાણમાં સમતોલન હોવુ જોઈએ જેથી દરેક પ્રકારની પરિસ્થિતિમાં પોર્ટફોલિયો ટકી રહે.
મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં ક્યારે પણ સિસ્ટમેટિક ઈનવેસ્ટ પ્લાન (એસઆઈપી)ને બંધ કરી દેવી ન જોઈએ. જ્યારે બજારમાં ઘટાડો આવે ત્યારે રોકાણકારોએ વધુ ખરીદીની તક લેવી જોઈએ. શૅરબજારમાં જ્યારે અસ્થિરતા હોય ત્યારે લોકો એસઆઈપી બંધ કરી દેતા હોય છે જે યોગ્ય નથી. બજારમાં જ્યારે કડાકો આવે એ એક રીતે નીચા મથાળે લેવાલી કરવાની તક છે.
મ્યુચ્યુઅલ ફંડ રોકાણ ફંડ ફેક્ટ શીટના હિસાબે છે કે નહી તે પણ ખાસ જોવુ જોઈએ. દરેક ફંડની એક ફેક્ટ શીટ હોય છે જેમાં વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવે છે. ફંડ ફેક્ટશીટ એકથી ત્રણ પાનાની હોય છે. જેમાં જણાવવામાં આવે છે કે ફંડનો રોકાણ હેતુ શું છે. તેમ જ જોખમ સ્તર, ખર્ચ, ભૂતકાળની કામગીરી અને હોલ્ડિંગની વિગતો પ્રદાન કરવામાં આવતી હોય છે.
આજની તારીખમાં યુવા રોકાણકારો વિવિધ એપ્સના માધ્યમે પોતાના મોબાઈલથી જ પોર્ટફોલિયોનું સંચાલન કરે છે. ટેકનોલોજીથી એકંદર પ્રક્રિયા સરળ બની ગઈ છે. તેથી આ ટેકનોલોજીનો સદઉપયોગ કરીને પોતાના એક્ટિવ પોર્ટફોલિયોનું સંચાલન જવાબદારીથી કરતા રહેવુ જોઈએ.
રોકાણકારોએ ફંડનું નિયમિત ધોરણે એનાલિસિસ કરવુ જોઈએ અને તેની કામગીરી બેન્ચમાર્ક કરતા કેટલી સારી છે તે ખાસ જોવુ જોઈએ. ઉપરાંત તેની કેટેગરીના અન્ય ફંડ્સ કરતા કામગીરી શ્રેષ્ઠ છે કે નહીં એ જોયા બાદ જ નિર્ણય લેવો જોઈએ. પરંતુ વારંવાર પોર્ટફોલિયોમાં ફેરફાર પણ કરવો જોઈએ નહીં.
જોકે, ઘણી વખત જોખમ સંચાલન માટે રિબેલેન્સિંગ કરવુ જરૂરી પણ હોય છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોનો પોર્ટફોલિયો એકાદ બે ફંડ્સની વૃદ્ધિના ભરોસે જ હોવા જોઈએ નહીં. તેમ જ પોર્ટફોલિયોની સમયાંતરે આકારણી કરીને જે ફંડ્સ લાંબા સમયથી નબળી કામગીરી કરતી હોય તેને બાકાત પણ કરી દેવો જોઈએ.
પોર્ટફોલિયોમાં કયો ફંડ રાખવો છે અને કયો ફંડ નથી રાખવો એનો નિર્ણય લેવો હોય તો રોકાણકારોએ ફંડની કામગીરી તેની બેન્ચમાર્ક સાથે સરખાવવી જોઈએ અને એકથી દસ વર્ષના રોલિંગ રિટર્ન ઉપર એક નજર કરી લેવી જોઈએ. જોકે, આ બાદ પણ ફંડની કામગીરી નબળી હોય તો બને તેટલુ જલદી તેમાંથી રોકાણ પાછુ ખેંચી લેવુ જોઈએ.