Mutual funds રોકાણકારના મૃત્યુ બાદ મ્યુચ્યુઅલ ફંડ યુનિટનું શું થાય છે? | Moneycontrol Gujarati
Get App

Mutual funds રોકાણકારના મૃત્યુ બાદ મ્યુચ્યુઅલ ફંડ યુનિટનું શું થાય છે?

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સામાન્ય રીતે લાંબા ગાળાનું રોકાણ કરતા હોય છે. પરંતુ ઘણા કેસોમાં યુનિટ ધારકોનું અચાનક નિધન થઈ જાય છે. પરિણામે રોકાણ યોજના આખી ખોરવાઈ જતી હોય છે. જોકે, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારનું નિધન થાય તો તેમના કુટુંબીઓએ આ રોકાણ મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવુ એ બાબતે જણાવવામાં આવ્યું છે

અપડેટેડ 02:17:18 PM Aug 26, 2023 પર
Story continues below Advertisement
જો નિધન પામેલ યુનિટ ધારકનો નોમિની કાયદાકીય વારસદાર ન હોય તો તે એક રીતે એજન્ટ હોલ્ડિંગ ગણાય છે.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સામાન્ય રીતે લાંબા ગાળાનું રોકાણ કરતા હોય છે. પરંતુ ઘણા કેસોમાં યુનિટ ધારકોનું અચાનક નિધન થઈ જાય છે. પરિણામે રોકાણ યોજના આખી ખોરવાઈ જતી હોય છે. જોકે, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારનું નિધન થાય તો તેમના કુટુંબીઓએ આ રોકાણ મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવુ એ બાબતે જણાવવામાં આવ્યું છે.

જ્યારે યુનિટ ધારકનું મૃત્યુ થાય ત્યારે રજીસ્ટર્ડ નોમિનીને તે રોકાણ ટ્રાન્સફર થાય છે. જે કેસમાં અકાઉન્ટ જોઈન્ટ હોય તો જ્યારે રોકાણકારનું નિધન થાય તે પછી જ નોમિનીને આ રોકાણની સત્તા મળે છે. પરંતુ જો એક કરતા વધુ નોમિની હોય તો યુનિટ ધારકે જે પ્રમાણમાં ફાળવણીનો ઉલ્લેખ કર્યો હોય તે હિસાબે જ નોમિનીઓને મ્યુચ્યુઅલ ફંડ્સ યુનિટ્સ મળતા હોય છે. જો રોકાણકારે નોમિનીઓને કેટલા પ્રમાણમાં યુનિટ્સની ફાળવણી કરવી એ બાબતે વિગતવાર જણાવ્યું ન હોય તો મ્યુચ્યુઅલ ફંડ ગૃહ નિધન થયેલા રોકાણકારના નોમિનીઓને સરખા પ્રમાણમાં મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સની ફાળવણી કરતા હોય છે.

યુનિટ ધારકના નિધન બાદ તેમના રોકાણનો ક્લેમ કરવા માટે નોમિનીએ મ્યુચ્યુઅલ ફંડ ગૃહમાં જઈને ટ્રાન્સફર રિકવેસ્ટ ફોર્મ (ફોર્મ T-3), યુનિટ ધારકનું ડેટ સર્ટિફિકેટ, પૅન કાર્ડની કોપી અને નોમિનીના કેવાયસી ફોર્મ, બૅન્ક સ્ટેટમેન્ટ/પાસબુક અથવા નોમિનીનો કેન્સલ્ડ ચેક સુપરત કરવાનો હોય છે. પરંતુ જો યુનિટ ધારકની પહેલા નોમિનીનું નિધન થાય તો નોમિનેશન ઓટોમેટિકલી કેન્સલ થઈ જાય છે. એક કરતા વધુ નોમિનેશનમાં જો કોઈ પણ એક નોમિનીનું ક્લેમ સેટલમેન્ટના નિધન થયુ હોય તો બાકીના નોમિનીઓને સરખા પ્રમાણમાં યુનિટ્સની ફાળવણી થતી હોય છે.


Mutual Funds: જેટલુ મહત્વ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું છે તેટલુ એક્ઝીટ લોડનું પણ છે

જો ટ્રાન્સફર રકમ 2 લાખ રૂપિયા સુધીની હોય તો એનેક્ચ્યોર-૧એ અંતર્ગત નોમિનીની સહીંને બૅન્ક મેનેજર સાથે એટેસ્ટેડ સ્વિકારવામાં આવે છે. અન્યથા નોટરી પબ્લિક સહિતના ચોક્કસ વ્યક્તિઓએ નોમિનીની સહીંને એટેસ્ટેડ કરવાની હોય છે. જો નોમિની માઈનર હોય તો તેના બર્થ સર્ટિફિકેટ અને તેના વાલીના પૅન કાર્ડને સુપરત કરવાનું હોય છે.

જો યુનિટ ધારકે નોમિનેશનનો ઉલ્લેખ કર્યો ન હોય તો નિધન બાદ યુનિટ ધારકનું રોકાણ કાયદાકીય વારસદારના ખાતામાં ટ્રાન્સફર થાય છે. જો યુનિટ ધારકે કોઈ વિલ પણ બનાવી ન હોય તો કાયદાકીય વારસદાર જ દરેક યુનિટ્સ માટે પાત્ર ગણાય છે. આ માટે જે દસ્તાવેજો સુપરત કરવાના હોય છે તેમાં રિલેશનસીપ સાબિત કરતા પુરાવા હોય છે. પ્રોબેચેટ વિલની નોટ્રાઈઝ્ડ કોપી અથવા કોર્ટ દ્વારા ઈસ્યુ થયેલી સક્સેસન સર્ટિફિકેટ અથવા બિનવસિયતીના કેસમાં એડમિનિસ્ટ્રેશનનો લેટર અથવા કોર્ટનો આદેશ કે હુકમનામું (ડિક્રી) સુપરત કરવાનું હોય છે જેથી યુનિટ્સ ક્લેમ કરવાની પાત્રતા મળે.

જો રોકાણની રકમ 2 લાખ રૂપિયા કરતા ઓછી હોય તો કાયદાકીય વારસદારે કોઈ પણ પ્રકારના લીગલ દસ્તાવેજો સુપરત કરવાની જરૂર પડતી નથી. એનેક્ચર-૨ અંતર્ગત મ્યુચ્યુઅલ ફંડ ક્ષતિપૂર્તિ બોન્ડ (ઈન્ડેમનિટી બોન્ડ) અને એનઓસી (નો-એબજેક્શન સર્ટિફિકેટ) મેળવવાનું હોય છે. ત્યારબાદ એનેક્સચર-૪ મુજબ યુનિટ્સના ક્લેમ માટેની અરજી કરી શકાય છે. ઉપરોક્ત દરેક ફોર્મ વેબસાઈટમાંથી મળી જતા હોય છે.

જો નિધન પામેલ યુનિટ ધારકનો નોમિની કાયદાકીય વારસદાર ન હોય તો તે એક રીતે એજન્ટ હોલ્ડિંગ ગણાય છે. તે મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં ‘ઈન ટ્રસ્ટ’ (કેરટેકર) તરીકેની ભૂમિકા ભજવે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 26, 2023 2:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.