મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો લાંબા ગાળાના રોકાણનાં મહત્વને સમજે છે અને ચક્રવૃદ્ધિ લાભ લઈને પોતાના પોર્ટફોલિયોને સધ્ધર બનાવે છે. પરંતુ મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો એક્ઝીટ લોડ બાબતે અધિક સજાગ હોતા નથી. પરિણામે જ્યારે રોકાણ પાછુ ખેંચવાનું હોય તે વખતે ગણતરી ખોટી પડવાની શક્યતા રહે છે. તેથી જ્યારે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ રિડીમ કરવામાં આવે ત્યારે અમૂક પાસાઓને સમજી લેવા જોઈએ.
વિવિધ મ્યુચ્યુઅલ ફંડ ગૃહો અને તેમની સ્કીમ્સમાં એક્ઝીટ લોડ વિભિન્ન હોય છે. એક્ઝીટ લોડ એ રોકાણ યુનિટ વિડ્રોઅલ કરતા સમયે નેટ એસેટ વેલ્યુ (NAV) ઉપર લાગુ પડતો ચાર્જ છે. ધારો કે તમે એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને એક વર્ષ બાદ 11.22 લાખ રૂપિયાના કોર્પસનું વેચાણ કર્યું હોય તો એક ટકા એક્ઝીટ લોડ 11,200 રૂપિયા થાય. આમ રોકાણકારને 11.11 લાખ રૂપિયા જ પરત મળશે.
જો મ્યુચ્યુઅલ ફંડ એક્ટિવ ઈક્વિટી કેટેગરીમાં હોય તો એક વર્ષની અંદર યુનિટ્સને રિડીમ કરવામાં આવે તો સામાન્ય રીતે એક ટકાની આસપાસ એક્ઝીટ લોડ હોય છે. જ્યારે અમૂક ફંડ ગૃહો એક્ટીવલી મેનેજ્ડ સ્કીમ્સમાં વધુ એક્ઝીટ લોડ ચાર્જ કરતા નથી. ડેબ્ટ ફંડ્સમાં એક્ઝીટ લોડ ઓછુ અથવા ન બરાબર હોય છે. મધ્યમથી લાંબા ગાળાના સમયગાળામાં (એક વર્ષ) એક ટકાનું ચાર્જ લગાડવામાં આવે છે.
મોટા ભાગના ફંડ ગૃહો ક્રેડિટ રિસ્ક ફંડ્સમાં એક ટકા એક્ઝીટ લોડ ચાર્જ કરે છે જો રોકાણ 365 દિવસની અંદર પાછુ ખેંચવામાં આવે. હાઈબ્રિડ કેટેગરીમાં પણ મોટા ભાગના ફંડ્સ એક વર્ષની અંદર યુનિટ્સ રિડીમ કરવામાં આવે તો એક ટકા એક્ઝીટ લોડ ચાર્જ કરે છે. જ્યારે આર્બિટ્રેડ ફંડ્સમાં 0.25 ટકા જ લોડ છે જો 30 દિવસની અંડર વિડ્રોઅલ કરવામાં આવે.