Congress Money Crisis: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. અહીં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંકેત આપ્યા છે કે તેમની પાર્ટીમાં પૈસાની તંગી છે. ખડગેએ આક્ષેપ કર્યો હતો કે જે બેન્ક ખાતાઓમાં લોકોનું દાન જમા કરવામાં આવ્યું હતું તે કેન્દ્ર સરકારે ફ્રીઝ કરી દીધું છે અને આવકવેરા વિભાગે પાર્ટી પર ભારે દંડ ફટકાર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે દેશના બંધારણ અને લોકશાહીને બચાવવા અને કોંગ્રેસની જીત સુનિશ્ચિત કરવા આગામી લોકસભા ચૂંટણીમાં લોકોએ એકસાથે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ.
ખડગેએ ચૂંટણીમાં સમાન અવસરની જરૂરિયાત પર ભાર મૂક્યો અને આરોપ લગાવ્યો કે ભાજપે કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવા અને દંડ કરવા માટે આવકવેરા વિભાગની મદદ લીધી છે. તેમણે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ભાજપ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેલા હજારો કરોડ રૂપિયાનો ખુલાસો કરવા તૈયાર નથી.
ગુજરાતના એક ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખવાનો ઉલ્લેખ કરતાં ખડગેએ કટાક્ષ કરતાં કહ્યું કે, 'તમે હજુ જીવિત છો, આવું નામકરણ કોઈના મૃત્યુ પછી કરવામાં આવે છે. જ્યારે વ્યક્તિ જીવિત હોય ત્યારે સ્મારકો બનાવવામાં આવતાં નથી. તેમના ચાહકો આ પછીથી કરે છે.'' તેમણે એવો પણ દાવો કર્યો કે કલબુર્ગી (ગુલબર્ગ)ના લોકોએ તેમની ભૂલ સુધારવાનો અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવાનો નિર્ણય કર્યો છે. ખડગેને ગત લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના ઉમેશ જાધવે તેમને 95,452 મતોના માર્જિનથી હરાવ્યા હતા.