Ghulam Nabi Azad: દિગ્ગજ રાજનેતા ગુલામ નબી આઝાદે આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. તેમની પાર્ટી DPAP (ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી)એ તેમને અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. પરંતુ હવે તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ગુલામ નબી આઝાદે અનંતનાગમાં એક બેઠકમાં આ જાહેરાત કરી હતી. 2 એપ્રિલે પૂર્વ કેન્દ્રીય મંત્રી આઝાદને અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડવા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
અગાઉ, આઝાદની પાર્ટીના પ્રવક્તા સલમાન નિઝામીએ ચૂંટણી લડવા અંગે X પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં નિઝામીએ લખ્યું, "DPAP પ્રમુખ ગુલામ નબી આઝાદ સાહેબ અનંતનાગ-રાજૌરી લોકસભા સીટથી ચૂંટણી લડશે. આ નિર્ણય DPAP વર્કિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે." DPAP ઉમેદવાર તરીકે, આઝાદનો મુકાબલો પીડીપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી અને દિગ્ગજ નેશનલ કોન્ફરન્સના નેતા મિયાં અલ્તાફ અહેમદનો હતો. તમને જણાવી દઈએ કે નેશનલ કોન્ફરન્સ એ I.N.D.I.Aના ગઠબંધનનો એક ભાગ છે. I.N.D.I.A ગઠબંધનના ઘટક પક્ષોમાં કોંગ્રેસ પણ સામેલ છે, જેમાંથી ગુમલા નબી આઝાદ અગાઉ સભ્ય હતા.