મણિપુરમાં એક-બે મહિનામાં બનશે લોકપ્રિય સરકાર: ભાજપ સાંસદનું મોટું નિવેદન
મણિપુર રાજ્ય ગત કેટલાય મહિનાઓથી હિંસાના સંકટમાં ઘેરાયેલું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હિંસાત્મક ઘટનાઓ સતત બની રહી છે. આ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. આવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાજ્યસભા સાંસદ લીશેમ્બા સનાજાઓબાએ મણિપુરમાં સરકાર રચવા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
રાજ્યમાં લોકપ્રિય સરકારની રચના થવાની આશા વ્યક્ત કરી છે.
મણિપુર રાજ્ય ગત કેટલાય મહિનાઓથી હિંસાના સંકટમાં ઘેરાયેલું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હિંસાત્મક ઘટનાઓ સતત બની રહી છે. આ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. આવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાજ્યસભા સાંસદ લીશેમ્બા સનાજાઓબાએ મણિપુરમાં સરકાર રચવા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આગામી એકથી બે મહિનામાં રાજ્યમાં લોકપ્રિય સરકારની રચના થવાની આશા વ્યક્ત કરી છે અને તમામ રાજકીય આશા વ્યક્ત કરી છે અને રાજકીય નેતાઓને એક થઈને પડકારોનો સામનો કરવા અપીલ કરી છે.
રાષ્ટ્રપતિ શાસનથી ઉકેલ શક્ય નથી
એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં સનાજાઓબાએ જણાવ્યું હતું કે, "હું દ્રઢપણે માનું છું કે આગામી એક કે બે મહિનામાં મણિપુરમાં લોકપ્રિય સરકારની રચના થશે. ફક્ત રાષ્ટ્રપતિ શાસનથી સમસ્યાઓનો ઉકેલ ન આવી શકે. લોકપ્રિય સરકાર લોકો સાથે નજીકથી જોડાઈને અને તેમની જરૂરિયાતોને સમજીને વધુ સારી રીતે કામ કરી શકે છે."
ધારાસભ્યોની નિષ્ફળતા પર ટીકા
ભાજપના આ રાજ્યસભા સાંસદે રાજ્યના ધારાસભ્યો પર આકરી ટીકા કરતાં કહ્યું કે, સંકટના સમયે ધારાસભ્યો સામૂહિક અને નિર્ણાયક રીતે તેમણે આ ટીકા સાથે સહમત થતાં જણાવ્યું હતું કે, "ધારાસભ્યો સંકટના સમયે એક થઈને કામ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ નિષ્ફળતા રાજ્યના હિતો માટે નુકસાનકારક સાબિત થઈ છે."
સત્તા અને સ્વાર્થને પ્રાથમિકતા
સનાજાઓબાએ વધુમાં કહ્યું, "અમે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજ્યના હિતો કરતાં વધુ મહત્ત્વ આપ્યું છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડ્યું, કારણ કે અમે મણિપુરના કલ્યાણને બદલે સત્તા અને સ્વાર્થને પ્રાથમિકતા આપી." તેમણે રાજકીય નેતાઓને આવનારા પડકારોનો સામનો કરવા એક થવાની અપીલ કરી છે.
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
મણિપુરમાં ગત વર્ષથી ચાલી રહેલી હિંસાએ રાજ્યની શાંતિ અને સ્થિરતાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. અનેક જિલ્લાઓમાં હિંસક ઘટનાઓને કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. આવા સંજોગોમાં સનાજાઓબાનું આ નિવેદન રાજ્યના લોકોમાં નવી આશા જગાવે છે કે ટૂંક સમયમાં રાજ્યમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થશે.