Pahalgam Terror Attack: પાકિસ્તાને ગુરુવારે ભારત સાથેના શિમલા કરાર સહિત અન્ય દ્વિપક્ષીય સમજૂતીઓ સ્થગિત કરી દીધી છે. આ સાથે, બંને દેશો વચ્ચેના તમામ પ્રકારના વેપાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ભારતીય એરલાઈન્સ માટે પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવાયું છે. આ નિર્ણયો જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 26 લોકોના મોત માટે જવાબદાર આતંકવાદીઓને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર દ્વારા ‘સ્વતંત્રતા સેનાની’ તરીકે ગણાવવાના વિવાદાસ્પદ નિવેદન બાદ લેવામાં આવ્યા છે.



