India sunlight decrease: ભારત જેવા સૂર્યપ્રકાશથી ભરપૂર દેશમાં એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. નવી વૈજ્ઞાનિક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં દર વર્ષે સૂર્યનો પ્રકાશ ઓછો થઈ રહ્યો છે. આ સ્ટડીમાં 1988થી 2018 સુધીના 30 વર્ષના હવામાન ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
સૌથી વધુ અસર ઉત્તર ભારતમાં
સૌથી વધુ અસર ઉત્તર ભારતમાં જોવા મળી છે. અહીં દર વર્ષે આશરે 13 કલાક સૂર્યપ્રકાશ ઓછો થઈ રહ્યો છે. હિમાલયના વિસ્તારોમાં પણ 9.5 કલાકનો ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ ભારતમાં 8.5 કલાક, જ્યારે પૂર્વ અને ડેક્કન પ્રદેશમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે, જોકે અન્ય વિસ્તારોની સરખામણીમાં થોડો ઓછો.
શું છે આ ઘટાડાનું મુખ્ય કારણ
સોલર એનર્જી પ્રોજેક્ટ્સની ક્ષમતા પણ ઘટશે
વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો પ્રદૂષણ પર અસરકારક નિયંત્રણ કરવામાં આવે, તો આ સમસ્યા પર કાબુ મેળવી શકાય છે. સરકારી નીતિઓ, જનજાગૃતિ અને ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ આ દિશામાં મહત્વનું પગલું બની શકે છે. આ સ્ટડી ભારતના ટોચના સંશોધન સંસ્થાનના વૈજ્ઞાનિકોએ કરી છે, જે દેશના ભવિષ્ય માટે ગંભીર ચેતવણી આપે છે.