ટ્રમ્પના ‘હેલહોલ’ નિવેદનથી ખળભળાટ: ભારતે આપી આકરી પ્રતિક્રિયા, કહ્યું- ‘આ અજ્ઞાનતાભર્યું અને અશોભનીય છે’
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને ‘નરક’ (Hell-hole) ગણાવતી પોસ્ટ રી-શેર કરતા વિવાદ છેડાયો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે, જ્યારે કોંગ્રેસે પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.
. આ પોસ્ટમાં અમેરિકામાં જન્મજાત નાગરિકતાના કાયદાને પડકારતા ભારત, ચીન અને અન્ય કેટલાક દેશોને 'નરક' (Hell-hole) તરીકે સંબોધવામાં આવ્યા હતા.
Trump Hell-Hole Row: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત વિશે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ટ્રમ્પે ભારતને 'નરક' (Hell-hole) ગણાવતી એક પોસ્ટ રી-પોસ્ટ કરી હતી, જેના પર ભારત સરકારે ગુરુવારે, 23 April ના રોજ અત્યંત આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે ટ્રમ્પના આ નિવેદનને અજ્ઞાનતાપૂર્ણ, અનુચિત અને અશોભનીય ગણાવ્યું છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર રેડિયો શો હોસ્ટ માઈકલ સેવેજની એક ટિપ્પણીને રી-પોસ્ટ કરી. આ પોસ્ટમાં અમેરિકામાં જન્મજાત નાગરિકતાના કાયદાને પડકારતા ભારત, ચીન અને અન્ય કેટલાક દેશોને 'નરક' (Hell-hole) તરીકે સંબોધવામાં આવ્યા હતા. આ પોસ્ટ વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.
ભારતીય વિદેશ મંત્રાલયનો આકરો જવાબ
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે આ મામલે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, "અમે સોશિયલ મીડિયા પોસ્ટ સંબંધિત અહેવાલો જોયા છે. આ પ્રકારની ટિપ્પણીઓ અજ્ઞાનતાભરી, અનુચિત અને અત્યંત ખરાબ સ્તરની છે. આ નિવેદનો ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધોની વાસ્તવિકતાને જરા પણ દર્શાવતા નથી. અમારા સંબંધો પરસ્પર સન્માન અને સમાન હિતો પર આધારિત છે."
અમેરિકાએ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો
ચારેબાજુથી ઘેરાયા બાદ અને ભારતની આકરી પ્રતિક્રિયા જોયા પછી, અમેરિકી દૂતાવાસે સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ નિવેદન આપ્યું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે ભારત એક મહાન દેશ છે, જેનું નેતૃત્વ તેમના ખૂબ જ સારા મિત્ર (પીએમ મોદી) કરી રહ્યા છે." જોકે, ટ્રમ્પે આ વાત ક્યારે અને કયા સંદર્ભમાં કહી હતી તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વિપક્ષના નિશાને પીએમ મોદી
આ વિવાદમાં હવે ભારતીય રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર નિશાન સાધતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, "મોદીજીના પ્રિય મિત્ર અને 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમના સાથીએ ભારત માટે અપમાનજનક શબ્દો વાપર્યા છે, છતાં પીએમ મોદી મૌન કેમ છે? મોદીજી, તમે કઈ વાતથી ડરો છો?"
"In response to further questions on a social media post that had referred, among other things, to Indians, Official Spokesperson Shri Randhir Jaiswal said: We have seen the comments, as also the subsequent statement issued by the US Embassy in response. The remarks are… pic.twitter.com/DRyqTFTHV4
ખડગેએ વધુમાં ઉમેર્યું કે અમેરિકાની સફળતામાં ભારતીય મૂળના લોકોનો મોટો ફાળો છે અને પીએમ મોદીએ ચૂંટણી પ્રચારમાંથી સમય કાઢીને 140 કરોડ ભારતીયોના અપમાન પર પ્રતિક્રિયા આપવી જોઈએ.