Zero Shadow Day: થોડા સમય માટે તમારો પડછાયો થઈ જશે ગાયબ, જાણો શું છે આ દુર્લભ ખગોળીય ઘટના | Moneycontrol Gujarati
Get App

Zero Shadow Day: થોડા સમય માટે તમારો પડછાયો થઈ જશે ગાયબ, જાણો શું છે આ દુર્લભ ખગોળીય ઘટના

Zero Shadow Day: તમે જાણો છો કે શું છે આ ઝીરો શેડો ડે અને કેમ તેની ઉજવણી કરવામાં આવે છે? તેમજ આ ઘટનાનું કારણ શું છે? આપને જણાવી દઈએ કે આ વર્ષે 25 એપ્રિલે બપોરે 12થી 12.30 વાગ્યા સુધી બેંગલુરુના લોકોએ ઝીરો શેડો જોવા મળ્યો હતો.

અપડેટેડ 12:14:06 PM Aug 18, 2023 પર
Story continues below Advertisement
zero shadow day: દિવસના એક ચોક્કસ સમયે સૂર્ય આપણા માથાની ઉપર સીધો રહે છે અને આ જ કારણ છે કે તે ચોક્કસ સમયે આપણો પડછાયો દેખાતો નથી. આ ઘટનાને ઝીરો શેડો કહેવામાં આવે છે.

Zero Shadow Day: આ વર્ષે બેંગલુરુમાં લોકોએ એક અનોખી ખગોળીય ઘટનાનો અનુભવ કર્યો જ્યારે તેઓએ તેમના પડછાયાને (Shadow) ગાયબ થતા જોયા. આપણે બધા ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ જોઈએ છીએ. આ સિવાય પણ પૃથ્વી પર બીજી ઘણી ઘટનાઓ છે, જે કોઈ વાર જ અનુભવાય છે. આમાંની એક ઘટના છે ઝીરો શેડો.

હકીકતમાં, આ ખગોળીય ઘટનાનું કારણ પૃથ્વીનું તેની ધરી અને સૂર્યની આસપાસનું પરિભ્રમણ પણ છે. આપને જણાવી દઈએ કે બેંગલુરુમાં શાળા અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ ઝીરો શેડો ડેની ઉજવણી કરી હતી. આ પ્રકારની ખગોળીય ઘટનાઓ પૃથ્વીના કેટલાક ભાગોમાં વર્ષમાં બે વખત જોવા મળે છે.

ઝીરો શેડો ડે શું છે?


તમે જાણો કે ઝીરો શેડો ડે શું છે અને કેમ તેની ઉજવણી કરવામાં આવે છે? તેમજ આ ઘટનાનું કારણ શું છે? જણાવી દઈએ કે આ વર્ષે 25 એપ્રિલે બપોરે 12થી 12.30 વાગ્યા સુધી બેંગલુરુના લોકોએ ઝીરો શેડો જોયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂર્યપ્રકાશથી બનેલા પડછાયાના ફોટોગ્રાફ્સ લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવસના એક ચોક્કસ સમયે સૂર્ય આપણા માથાની ઉપર સીધો રહે છે અને આ જ કારણ છે કે તે ચોક્કસ સમયે આપણો પડછાયો દેખાતો નથી. આ ઘટનાને ઝીરો શેડો કહેવામાં આવે છે.

એક દુર્લભ ખગોળીય ઘટના

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઝીરો શેડોની ઘટના એપ્રિલ મહિનામાં બની હતી. તે જ સમયે, આજે એટલે કે શુક્રવારે, આ ખગોળીય ઘટના ફરી એકવાર જોવા મળશે. રિપોર્ટ અનુસાર, ઝીરો શેડો દિવસનું કારણ પૃથ્વીના પરિભ્રમણની ધરીનો ઝોક છે. પૃથ્વીની સૂર્યની ભ્રમણકક્ષામાં ઊભી રહેવાને બદલે, તે 23.5 ડિગ્રી સુધી નમેલી રહે છે.

એટમોસફીયરમાં ચેન્જીસ

એવું માનવામાં આવે છે કે દરરોજ બપોરે 12 વાગ્યે સૂર્ય આપણા માથાની ઉપર હોય છે, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી. જણાવી દઈ કે પૃથ્વીના સમતલના સૂર્ય તરફ 23.5 ડિગ્રીના ઝોકને કારણે સૂર્યની સ્થિતિ આખા વર્ષ દરમિયાન બદલાય છે. આ જ કારણ છે કે વાતાવરણમાં ફેરફાર પણ જોવા મળે છે.

પૃથ્વી પર દિવસ અને રાત સમાન

સૂર્યની ગતિ દક્ષિણથી ઉત્તર તરફ 22 ડિસેમ્બરથી શરૂ થાય છે અને 21 માર્ચે સૂર્ય વિષુવવૃત્તની એકદમ ઉપર રહે છે. હવે આ દિવસે બપોર પછી પડછાયો દેખાતો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દિવસે પૃથ્વી પર દિવસ અને રાત સમાન હોય છે. 2023માં આ સ્થિતિ 25મી એપ્રિલે સર્જાઈ હતી અને ઝીરો શેડોનો અનુભવ કરવામાં આવ્યો હતો.

ઝીરો શેડો ડેની અસર

રિપોર્ટ અનુસાર ઝીરો શેડો હવામાનને અસર કરતું નથી. જો કે આ દિવસ ખૂબ જ ગરમ હોય છે. મળતી માહિતી મુજબ 21 જૂને કર્ક રાશિ પર આ સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ ભારતમાં જૂન મહિનામાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની અસર યથાવત છે. આવી સ્થિતિમાં મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં ઝીરો શેડો દેખાતો નથી. જો કે અત્યારે હવામાન ચોખ્ખું છે, પરંતુ આજે દેશના વધુ વિસ્તારોમાં આ ઘટના જોવા મળે તેવી શક્યતા છે. સાથે જ એ પણ ઉલ્લેખનીય છે કે અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ દિવસોમાં ઝીરો શેડો જોવા મળે છે.

આ પણ વાંચો - POST OFFICE SCHEME: આ પોસ્ટ ઓફિસ સ્કીમ્સ વાર્ષિક 8% આપે છે રિટર્ન, પૈસા રોકાણ કરવાનો શ્રેષ્ઠ ઓપ્શન

MoneyControl News

MoneyControl News

First Published: Aug 18, 2023 10:25 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.