ભરશિયાળે રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ઘાતકી માવઠા બાદ સતત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આવામાં હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. જે પ્રમાણે હજુ આગામી બે દિવસ માવઠાનો માર સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતના હવામાન અંગે આગાહી કરતાં અમુક વિસ્તારોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



