maldives: માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની ભારતનો વિરોધ કરવાની જીદનો માર માલદીવના નાગરિકોને સહન કરવો પડી રહ્યો છે. ભારત પ્રત્યેની તેની નફરતમાં, મુઇઝુ એ વાતની પણ પરવા નથી કરી રહ્યો કે તેની જીદ તેના પોતાના નાગરિકોના જીવનને જોખમમાં મૂકી રહી છે. સરકારની જીદના કારણે એક નિર્દોશ 13 વર્ષિય કિશોરનું મોત નિપજ્યું છે.. જરૂરી તબીબી સારવારમાં વિલંબને કારણે તે બાળકે જીવ ગુમાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે માલદીવ સરકારે તબીબી સ્થળાંતર માટે ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં ખચકાટ દર્શાવ્યો અને હોસ્પિટલ પહોંચવામાં વિલંબને કારણે બાળકે જીવ ગુમાવ્યો. ભારતે માલદીવને તબીબી સ્થળાંતર અને આપત્તિ રાહત કામગીરી માટે બે નેવલ હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ પ્રદાન કર્યું હતું.