અભ્યાસક્રમ ઘટાડવાના આ નિર્ણયથી શિક્ષકો, વાલીઓ અને નીતિ ઘડવૈયાઓમાં ભારે ચર્ચા જગાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NCERTએ હવે 10મા ધોરણના CBSE વિજ્ઞાનના પુસ્તકોમાંથી ડાર્વિનના સિદ્ધાંત અને સામયિક કોષ્ટક જેવા વૈજ્ઞાનિક વિષયોને હટાવી દીધા છે.
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) તેના અભ્યાસક્રમના તર્કસંગતીકરણ અને ત્યારબાદ તેના પુસ્તકોમાંથી કેટલાક વિષયોને દૂર કરવાના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી સમાચારમાં છે. અભ્યાસક્રમ ઘટાડવાના આ નિર્ણયથી શિક્ષકો, વાલીઓ અને નીતિ ઘડવૈયાઓમાં ભારે ચર્ચા જગાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NCERTએ હવે 10મા ધોરણના CBSE વિજ્ઞાનના પુસ્તકોમાંથી ડાર્વિનના સિદ્ધાંત અને સામયિક કોષ્ટક જેવા વૈજ્ઞાનિક વિષયોને હટાવી દીધા છે.
ખાસ કરીને, ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિનો સિદ્ધાંત, પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ, માનવ ઉત્ક્રાંતિ અને આનુવંશિકતા તેમજ તત્વોનું સામયિક વર્ગીકરણ દૂર કરવામાં આવ્યું છે.
આ આરોપના જવાબમાં, NCERTએ જણાવ્યું છે કે આ પ્રકરણો અભ્યાસક્રમના તર્કસંગતીકરણની પ્રક્રિયાના ભાગ રૂપે રોગચાળા દરમિયાન અસ્થાયી રૂપે દૂર કરવામાં આવ્યા હતા. "ઇવોલ્યુશન અને આનુવંશિકતા" નામના પ્રકરણનું નામ બદલીને હવે ફક્ત "આનુવંશિકતા" રાખવામાં આવ્યું છે.
જ્યારે કેટલાક લોકોએ આ પગલા પર સવાલ ઉઠાવ્યા છે, તો ઘણાએ નવા પુસ્તકોની લિંક્સ શેર કરી છે, જેમાં જણાવ્યું છે કે વિષય દૂર કરવામાં આવ્યો નથી પરંતુ ધોરણ 11ના અભ્યાસક્રમમાં ખસેડવામાં આવ્યો છે.
તાજેતરમાં જ NCERTએ ધોરણ 12 પોલિટિકલ સાયન્સના પુસ્તકોમાંથી ખાલિસ્તાનનો વિષય પણ હટાવી દીધો છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) દ્વારા શિક્ષણ મંત્રાલયને મોકલવામાં આવેલા પત્રને પગલે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
NCERT એ પ્રકરણ 7, "પ્રાદેશિક આકાંક્ષાઓ" માંથી કેટલીક લીટીઓ દૂર કરી, જે અગાઉ અલગ શીખ રાષ્ટ્ર અને ખાલિસ્તાનનો ઉલ્લેખ કરતી હતી.
વધુમાં, જ્યારે NCERTએ તેની બે ધોરણ 12ની પાઠ્યપુસ્તકોમાંથી 2022ના વંશીય સંઘર્ષના સંદર્ભો દૂર કર્યા હતા, ત્યારે ધોરણ 11 અને 12ના સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકોમાંથી ગુજરાત રમખાણોના પ્રકરણને પણ દૂર કરવામાં આવ્યા હતા.