SBIના ખાતાધારકોને મોટો ઝટકો, 1 ઓક્ટોબરથી બેંકમાંથી રોકડ ઉપાડવી પડશે મોંઘી, ફટાફટ જાણી લો આ નવો નિયમ | Moneycontrol Gujarati
Get App

SBIના ખાતાધારકોને મોટો ઝટકો, 1 ઓક્ટોબરથી બેંકમાંથી રોકડ ઉપાડવી પડશે મોંઘી, ફટાફટ જાણી લો આ નવો નિયમ

શું તમારું ખાતું પણ SBIમાં છે? 1 ઓક્ટોબરથી બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલાઈ રહ્યા છે. 4 થી વધુ ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા અને GST લાગશે. ચાર્જથી બચવા જાણો સંપૂર્ણ વિગત.

અપડેટેડ 06:26:10 PM Aug 19, 2026 પર
Story continues below Advertisement
SBI ના નવા ચાર્જ શિડ્યુલ મુજબ, બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો મહિનામાં માત્ર 4 વખત જ બેંકની બ્રાન્ચમાંથી ફ્રીમાં રોકડ ઉપાડી શકશે.

દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે એક મોટા અને અગત્યના સમાચાર છે. જો તમારું ખાતું પણ SBI માં છે, તો 1 ઓક્ટોબરથી બેંકની બ્રાન્ચમાં જઈને રોકડ ઉપાડવાના નિયમો બદલાવા જઈ રહ્યા છે. બેંકે ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ નક્કી કરી દીધી છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. બેંકના નવા સર્ક્યુલર મુજબ, આ નિયમો 1 ઓક્ટોબરથી આખા દેશમાં લાગુ થઈ જશે.

1 ઓક્ટોબરથી શું બદલાશે?

SBI ના નવા ચાર્જ શિડ્યુલ મુજબ, બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો મહિનામાં માત્ર 4 વખત જ બેંકની બ્રાન્ચમાંથી ફ્રીમાં રોકડ ઉપાડી શકશે. જો તમે મહિનામાં 4 વખતથી વધુ વાર પૈસા ઉપાડશો, તો તમારે દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા + GST નો ચાર્જ ચૂકવવો પડશે.

ઉદાહરણ તરીકે સમજીએ તો: જો તમે મહિનામાં 6 વાર બેંકમાં જઈને રોકડ ઉપાડો છો, તો પહેલા 4 ટ્રાન્ઝેક્શન બિલકુલ ફ્રી રહેશે. પરંતુ, 5મા અને 6ઠા ટ્રાન્ઝેક્શન માટે તમારે 15 રૂપિયા + GST લેખે વધારાનો ચાર્જ બેંકને આપવો પડશે.

આ BSBD એકાઉન્ટ શું હોય છે?


બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે, જેમને માત્ર પાયાની બેંકિંગ સુવિધાઓની જ જરૂર હોય છે. આ ખાતાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં મિનિમમ બેલેન્સ જાળવી રાખવાની કોઈ જ ઝંઝટ હોતી નથી. આ ખાતામાં પૈસા જમા કરવા અને ઉપાડવાની સુવિધા ફ્રી મળે છે, પરંતુ હવે બેંકે બ્રાન્ચમાંથી વારંવાર રોકડ ઉપાડવા પર મર્યાદા મૂકી દીધી છે.

કોને થશે આની અસર?

આ નવા નિયમની અસર માત્ર એવા ગ્રાહકો પર જ પડશે જેઓ મહિનામાં 4 થી વધુ વખત SBI ની બ્રાન્ચમાં રૂબરૂ જઈને રોકડ રકમ ઉપાડે છે. જે ગ્રાહકો ડિજિટલ બેંકિંગ (જેમ કે UPI, નેટ બેંકિંગ) અથવા ATM નો વધુ ઉપયોગ કરે છે, તેમના પર આ નિયમની કોઈ ખાસ અસર નહીં પડે.

વધારાના બેંક ચાર્જથી કેવી રીતે બચવું?

જો તમે આ નવા ચાર્જથી બચવા માંગતા હોવ, તો નીચે મુજબની સરળ ટિપ્સ અપનાવી શકો છો. મહિનાની શરૂઆતમાં જ તમારી જરૂરિયાતનો અંદાજ લગાવીને એકસાથે થોડી મોટી રકમ ઉપાડી લો, જેથી તમારી 4 ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ જળવાઈ રહે. દુકાનો પર રોકડ આપવાને બદલે UPI, QR કોડ સ્કેનર અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાની આદત પાડો. નાના અને રોજિંદા ખર્ચાઓ માટે સીધા બેંક બ્રાન્ચમાં લાઈનમાં ઊભા રહેવાને બદલે ATM નો ઉપયોગ કરો.

આ પણ વાંચો-500ના રોકાણથી બનાવો મોટું ફંડ, શાનદાર રિટર્ન માટે SBI મ્યુચ્યુઅલ ફંડની આ બેસ્ટ સ્કીમ્સ છે સૌથી લોકપ્રિય

MoneyControl News

MoneyControl News

First Published: Aug 19, 2026 6:26 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.