FD Rates: ભારતની ઘણી મોટી બેન્કોએ ઓક્ટોબર 2023માં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. HDFC બેન્ક, ICICI બેન્ક, કેનેરા બેન્ક અને બેન્ક ઓફ બરોડા જેવી તમામ મોટી બેન્કો FD પર વ્યાજ દરોમાં સુધારો કરનાર બેન્કોની ગણતરીમાં સામેલ છે. જો કે, અત્યાર સુધી દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ 15 ફેબ્રુઆરી 2023 સુધી FDના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઑક્ટોબરમાં ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષા બેઠક પછી પણ FDના વ્યાજ દરોમાં સુધારો કરવામાં આવ્યો નથી.
HDFC બેન્કે બે વિશેષ FD યોજનાઓ શરૂ કરી છે. આ નવી ઑફર્સમાં, 35 મહિનાના સમયગાળાની FD માટે 7.15% અને 55 મહિનાની અવધિ સાથે FD માટે 7.2%ના દરે વ્યાજ ઉપલબ્ધ છે. આ બંને દર HDFC સિનિયર સિટીઝન કેર FD પર પણ લાગુ છે. આ સિવાય, બેન્કે 1 ઓક્ટોબરથી 15 મહિનાથી 18 વર્ષની વચ્ચે પાકતી FD પર 7.1% વ્યાજ દર નક્કી કર્યો છે.
બેન્ક ઓફ બરોડાએ પણ તેના એફડી દરોમાં સુધારો કર્યો છે. બેન્કે 9 ઑક્ટોબર, 2023 થી શરૂ થતી બરોડા ટ્રાઇકલર પ્લસ ડિપોઝિટ સ્કીમ હેઠળ સામાન્ય લોકો માટે 7.25% સુધી અને વરિષ્ઠ નાગરિકો માટે 7.75% સુધીના વ્યાજ દરો ઓફર કર્યા છે. કેનેરા બેન્કે વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. બેન્ક સામાન્ય લોકોને FD પર 4% થી 7.25% અને વરિષ્ઠ નાગરિકોને 4% થી 7.75% વ્યાજ ઓફર કરી રહી છે.
તેનાથી વિપરીત, SBIના FDના દર આ વર્ષે ફેબ્રુઆરીથી નક્કી કરવામાં આવ્યા છે. આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બેન્ક તેની 400 દિવસની વિશેષ FD અમૃત કલશ યોજના પર સામાન્ય નાગરિકોને 3% - 7.1% અને વરિષ્ઠ નાગરિકોને 7.60% FD વ્યાજ દર ઓફર કરી રહી છે. આ યોજના 31 ડિસેમ્બર 2023 સુધી ચાલુ રહેશે.