રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમ બાદ બ્રોકરેજ ગૃહોએ રેટિંગ અને ટાર્ગેટ ભાવ યથાવત્ રાખ્યો
બ્રોકરેજ કંપની જેફરીઝ ઈન્ડિયાએ કંપનીનો શૅર ખરીદવાની ભલામણ યથાવત્ રાખી છે અને 2,950 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે. જેએમ ફાઈનાન્સિયલે પણ શૅર ખરીદવાની ભલામણ કરીને 2,900 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે. જ્યારે કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે પણ ભલામણમાં ફેરફાર કર્યા વિના ટાર્ગેટ ભાવ 2,600 રૂપિયા આપ્યો છે. નોમુરાએ શૅર ખરીદવાની ભલામણ કરીને ટાર્ગેટ ભાવ 2,444 રૂપિયાથી વધારીને 2,925 રૂપિયા કર્યો છે
મેક્વાયર રિસર્ચે ‘અંડરપર્ફોમ’ રેટિંગ આપીને 2,100 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે, જે વર્તમાન શૅર ભાવની સરખામણીએ 14.6 ટકા ઓછો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સોમવારે એજીએમ યોજાઈ તે પછી અમૂક બ્રોકરેજ ગૃહોએ રેટિંગ અને ટાર્ગેટ ભાવ યથાવત્ રાખ્યો છે. જિઓ અને રિટેલ બાબતે હજી અમૂક ટાઈમલાઈન સ્પષ્ટ થઈ નહી હોવાથી બજારમાં હતાશા વધશે એવી ચિંતા પણ એનાલિસ્ટોએ વ્યક્ત કરી છે. એજીએમ બાદ હવે દરેકની નજર કંપનીની કમાણી ઉપર રહેશે.
બ્રોકરેજ કંપની જેફરીઝ ઈન્ડિયાએ કંપનીનો શૅર ખરીદવાની ભલામણ યથાવત્ રાખી છે અને 2,950 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે. જેએમ ફાઈનાન્સિયલે પણ શૅર ખરીદવાની ભલામણ કરીને 2,900 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે. જ્યારે કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે પણ ભલામણમાં ફેરફાર કર્યા વિના ટાર્ગેટ ભાવ 2,600 રૂપિયા આપ્યો છે. નોમુરાએ શૅર ખરીદવાની ભલામણ કરીને ટાર્ગેટ ભાવ 2,444 રૂપિયાથી વધારીને 2,925 રૂપિયા કર્યો છે.
મેક્વાયર રિસર્ચે ‘અંડરપર્ફોમ’ રેટિંગ આપીને 2,100 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે, જે વર્તમાન શૅર ભાવની સરખામણીએ 14.6 ટકા ઓછો છે. દરમિયાન નિતા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાંથી છુટા પડ્યા છે. તે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે સક્રિય રહેશે. જ્યારે ઇશા અને આકાશ અને અનંત અંબાણીનો બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ મુકેશ અંબાણી આગામી પાંચ વર્ષ સુધી કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળશે અને ગ્રુપમાં નવા લીડર્સને માગદર્શન આપશે.
નોમુરાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અંબાણી કુટુંબની નવી પેઢીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સમાવતા રિલાયન્સનો એકંદર બિઝનેસ વધુ ડેવલપ થશે.
જેફરીઝ ઈન્ડિયાએ કહ્યું કે નાણાકીય વર્ષ 2025 સુધીમાં જિઓના મૂડીખર્ચમાં ઘટાડો થશે કારણ કે ફાઈવજી નેટવર્ક માટેનું રોકાણ પુરતુ થઈ ચૂક્યુ હશે. જોકે, મેનેજમેન્ટે નવા મૂડી ખર્ચ બાબતે ચિત્ર સ્પષ્ટ કર્યુ નથી.
જેએમ ફાઈનાન્સિયલને ચિંતા છે કે નેટ ડેબ્ટ વધુ છે. જોકે, વિવિધ ક્ષેત્રોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ક્ષમતા સારી હોવાથી આગામી ત્રણથી પાંચ વર્ષમાં શૅરદીઠ આવક 14-15 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધશે. કંપનીનું ડેબ્ટ નાણાકીય વર્ષ 2024માં વધશે અને પછી ઘટશે.
મોતિલાલ ઓસવાલ સિક્યોરિટીઝનું માનવું છે કે કોન્સોલિડેટેડ આવક અને ઈબિટડા નાણાકીય વર્ષ 2023-25 દરમિયાન 12 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધશે. રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ સેગમેન્ટમાં કામકાજ વધશે અને સ્ટેન્ડએલોન બિઝનેસ મૂલ્યાંકનમાં વધારો થશે.
ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.