Parliament Budget session: લોકસભામાં પસાર થશે કેન્દ્રીય બજેટ 2025-26, અપનાવાશે ગિલોટિન પ્રોસેસ, જાણો શું છે આ સિસ્ટમ?
Parliament Budget session: કેન્દ્રીય બજેટ 2025-26 પસાર કરવાની પ્રોસેસ શુક્રવારે લોકસભામાં થઈ રહી છે. આ મહત્વના દિવસને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ તમામ સાંસદોને વ્હીપ જાહેર કર્યો છે.
Parliament Budget session: સંસદમાં બજેટ સત્રના બીજા ભાગમાં આજે શુક્રવાર એક મોટો દિવસ બનવા જઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ લોકસભામાં પસાર થવાનું છે. આ પ્રોસેસ માટે ભારતીય જનતા પાર્ટીએ તેના તમામ સાંસદોને વ્હિપ જારી કરીને લોકસભામાં ફરજિયાતપણે હાજર રહેવા જણાવ્યું છે. ચાલો જાણીએ બીજેપીએ પોતાની નોટિસમાં બીજું શું કહ્યું છે.
અપનાવવામાં આવશે ગિલોટિન પ્રોસેસ
સાંસદોને જારી કરાયેલ વ્હીપમાં ભાજપે કહ્યું છે - "લોકસભામાં ભાજપના તમામ સાંસદોને જાણ કરવામાં આવે છે કે બજેટ 2025-26ની વિવિધ માંગણીઓ પસાર કરવા માટે શુક્રવારે ગિલોટીનિંગ કરવામાં આવશે. તેથી, લોકસભામાં ભાજપના તમામ સાંસદોને દિવસભર ગૃહમાં હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા વિનંતી કરવામાં આવે છે." તમને જણાવી દઈએ કે દર વર્ષે શાસક પક્ષ પોતાના સાંસદોને બજેટ પસાર કરવા માટે વ્હિપ જારી કરે છે.
ગિલોટિન પ્રોસેસ શું છે?
વાસ્તવમાં, ગિલોટિનને સંસદમાં એક મોટી વ્યૂહરચના તરીકે જોવામાં આવે છે. ગિલોટિનનો ઉપયોગ ચર્ચાની મંજૂરી આપ્યા વિના બિલને ઝડપથી પસાર કરવા માટે થાય છે. જો સરકાર શક્ય તેટલી વહેલી તકે બિલ પસાર કરવા માંગતી હોય અને વિપક્ષ તેમાં વિલંબ કરી રહ્યો હોય તો સંસદમાં ગિલોટિન પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે.
ગુરુવારે ભારે હંગામો
ગુરુવારે ફરી એકવાર સંસદમાં ભારે હોબાળો થયો. ડીએમકે પાર્ટીના સભ્યો સૂત્રોચ્ચાર સાથે ટી-શર્ટ પહેરીને લોકસભા પહોંચ્યા હતા. આ પછી હંગામાને કારણે ગૃહની કાર્યવાહી બે વખત સ્થગિત કર્યા બાદ શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી, પછી 2 વાગ્યા સુધી અને પછી આખા દિવસ માટે સ્થગિત કરવી પડી હતી.
1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2025ના રોજ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ લગભગ 51 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં યુવા, મહિલાઓ, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. બજેટની સૌથી મહત્વની જાહેરાત 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર આવકવેરામાંથી મુક્તિ હતી.