પોતાના અધિકારોની લડાઈ લડવા માટે ટાટા ટ્રસ્ટ્સે દેશના જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવીને મેદાનમાં ઉતાર્યા છે. સિંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું કે તેઓ દિવંગત રતન ટાટા અને બંને પક્ષોની ખૂબ નજીક રહ્યા છે, તેથી તેઓ ભારે હૈયે આ કેસ લડી રહ્યા છે.
Tata vs Tata: રતના સૌથી પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સમૂહ 'ટાટા ગ્રુપ'માં હાલમાં એક મોટો મહાસંગ્રામ છેડાઈ ગયો છે. ટાટા સન્સ અને તેના સૌથી મોટા શેરધારક ટાટા ટ્રસ્ટ્સ વચ્ચેનો વિવાદ હવે ખુલ્લેઆમ સામે આવી ગયો છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે આ કોર્પોરેટ જંગ લડવા માટે દેશના બે સૌથી દિગ્ગજ વકીલો આમને-સામને આવી ગયા છે.
ચાલો જાણીએ સરળ ભાષામાં કે આ સમગ્ર વિવાદની પાછળનું મુખ્ય કારણ શું છે અને તેની શેરબજાર પર શું અસર પડી રહી છે:
શું છે વિવાદનું મૂળ કારણ?
આ વિવાદની શરૂઆત 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ટાટા સન્સની બોર્ડ મીટિંગથી થઈ. આ બેઠકમાં વર્તમાન ચેરમેન એન ચંદ્રશેખરનને આગામી 5 વર્ષ માટે ફરીથી ચેરમેન તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. પરંતુ, ટાટા સન્સમાં લગભગ 66% નો મોટો હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે.
ટાટા ટ્રસ્ટ્સે આ નિમણૂકને સંપૂર્ણપણે 'ગેરકાયદેસર' અને 'કાનૂની રીતે શૂન્ય' ગણાવી છે. આ ઉપરાંત, બીજી મોટી સમસ્યા ટાટા સન્સના શેરબજારમાં લિસ્ટિંગને લઈને છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાદ્વારા ટાટા સન્સની કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની રજિસ્ટ્રેશન સરેન્ડર કરવાની અરજી ફગાવી દેવામાં આવી છે. આથી, કંપનીને શેરબજારમાં લિસ્ટ કરવાના મુદ્દે પણ બંને પક્ષો વચ્ચે કોઈ સહમતિ બની શકી નથી.
ટાટા ટ્રસ્ટ્સ તરફથી અભિષેક મનુ સિંઘવી મેદાનમાં
પોતાના અધિકારોની લડાઈ લડવા માટે ટાટા ટ્રસ્ટ્સે દેશના જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવીને મેદાનમાં ઉતાર્યા છે. સિંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું કે તેઓ દિવંગત રતન ટાટા અને બંને પક્ષોની ખૂબ નજીક રહ્યા છે, તેથી તેઓ ભારે હૈયે આ કેસ લડી રહ્યા છે.
તેમણે કોર્પોરેટ ગવર્નન્સ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શેરધારકોના મૂળભૂત અધિકારોને કચડી શકાય નહીં. જો આમ થશે, તો તે દેશની સેંકડો કંપનીઓના સંચાલન માટે વિનાશકારી સાબિત થશે. તેમણે ટાટા-મિસ્ત્રી કેસમાં સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાની યાદ અપાવી, જેમાં કોર્ટે ટાટા સન્સ પર ટાટા ટ્રસ્ટ્સના વર્ચસ્વનો સ્વીકાર કર્યો હતો. સિંઘવીએ સ્પષ્ટ કર્યું કે બંને વચ્ચે 100 વર્ષ જૂનો સંબંધ છે, અને જ્યારે પરસ્પર ભાઈચારો ખતમ થાય છે, ત્યારે કાનૂની રસ્તો જ એકમાત્ર વિકલ્પ બચે છે.
ટાટા સન્સનો બચાવ કરશે હરીશ સાલ્વે
સામે પક્ષે ટાટા સન્સ પણ પાછળ નથી. તેમની તરફથી દિગ્ગજ વકીલ હરીશ સાલ્વે દલીલો કરશે. સાલ્વેએ આ પરિસ્થિતિ પર ટિપ્પણી કરતા કહ્યું છે કે, કોઈપણ કંપની લાંબા સમય સુધી આવી અટકેલી સ્થિતિ (ડેડલોક) માં કામ કરી શકે નહીં. કંપનીના રોજિંદા કામકાજ અને લાંબા ગાળાની વ્યૂહરચનાઓ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને શેરધારકોએ કોઈ વ્યવહારુ રસ્તો કાઢવો જ પડશે.
ટાટાના શેરો અને રોકાણકારો પર પડી મોટી અસર
ટાટા ગ્રુપની આ આંતરિક લડાઈનો સીધો ફટકો શેરબજારના રોકાણકારોને પડ્યો છે. આ વિવાદના સમાચાર બહાર આવતા જ ટાટા ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રાતોરાત અંદાજે 40,000 કરોડનો મોટો ઘટાડો નોંધાયો છે.