ગુજરાતના મુખ્ય શહેરોમાં જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 04 સપ્ટેમ્બર 2026ના રોજ ખાંડના બજારભાવમાં અલગ અલગ સ્તરે ખાસ્સો તફાવત જોવા મળી રહ્યો છે.
Latest sugar rate: તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે, ત્યારે મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસ માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમી બાદ હવે ખાંડના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી ગૃહિણીઓનું બજેટ થોડું હળવું થશે અને ગ્રાહકોને સીધો ફાયદો મળશે.
મિલ કક્ષાએ 20% અને છૂટકમાં 5% નો ઘટાડો
‘ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન' દ્વારા આપવામાં આવેલી લેટેસ્ટ માહિતી મુજબ, મિલ સ્તરે ખાંડના ભાવમાં સીધો 20% નો મોટો કડાકો જોવા મળ્યો છે. આ ઘટાડાની સકારાત્મક અસર દેશના રિટેલ માર્કેટ પર પણ પડવા લાગી છે, જ્યાં હાલમાં 5% જેટલા ભાવ ઘટી ગયા છે. આગામી સમયમાં ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા, દિવાળી અને છઠ પૂજા જેવા મોટા તહેવારો આવી રહ્યા છે, ત્યારે મીઠાઈઓ બનાવવા માટે વપરાતી ખાંડના ભાવ ઘટવા તે સામાન્ય જનતા માટે મોટી રાહત છે.
દેશના મુખ્ય શહેરોમાં ખાંડનો લેટેસ્ટ ભાવ
મશીનરી અને મિલ ક્ષેત્રના તાજા આંકડાઓ પ્રમાણે, દેશના અલગ-અલગ શહેરોમાં છૂટક બજારમાં ખાંડનો લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:
દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને રાંચી: અહીં ખાંડનો છૂટક ભાવ ઘટીને 61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
ગુવાહાટી, કાનપુર અને રાયપુર: આ શહેરોમાં ગ્રાહકોને 62 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખાંડ મળી રહી છે.
ચેન્નઈ: અહીં ખાંડ 63 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 04 સપ્ટેમ્બર 2026ના રોજ ખાંડના બજારભાવમાં અલગ અલગ સ્તરે ખાસ્સો તફાવત જોવા મળી રહ્યો છે. હાલમાં સ્થાનિક માર્કેટ યાર્ડ અને છૂટક દુકાનોમાં વેચાતી ખાંડના અંદાજિત ભાવ નીચે મુજબ છે: છૂટક બજારનો ભાવ 65થીની આસપાસ ચાલી રહ્યો છે.
છૂટક બજારમાં ખાંડ હજુ કેટલી સસ્તી થશે?
સરકારના જણાવ્યા અનુસાર, મિલ કક્ષાએ જે 20%નો ઘટાડો થયો છે, તેની 100% અસર છેવાડાના છૂટક બજાર સુધી પહોંચવામાં થોડો સમય લાગે છે. જો મિલના ભાવ આ જ રીતે કંટ્રોલમાં રહેશે, તો હોલસેલ માર્કેટમાંથી નવો માલ છૂટક બજારમાં આવતા જ, આગામી થોડા દિવસોમાં સામાન્ય ગ્રાહકો માટે ખાંડ હજુ પણ વધુ સસ્તી થશે.
સરકારની કડક કાર્યવાહીનું પરિણામ
તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં ખાંડના ભાવ અચાનક જ આસમાને પહોંચી ગયા હતા. ત્યારબાદ સરકારે આકરા પગલાં લેતા ખાંડના સ્ટોક, વેચાણ અને બજારના ભાવ પર સતત અને ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું. બજારમાં સટ્ટાખોરી અને સંગ્રહખોરી રોકવા માટે લેવાયેલા આ કડક પગલાંને કારણે જ આજે માર્કેટમાં પૂરતો પુરવઠો જળવાઈ રહ્યો છે, અને લોકોને વાજબી ભાવે ખાંડ મળી રહી છે.