Railway Project: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રેલવે સંબંધિત સાત પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ નવી રેલ્વે લાઇન નાખવા અને રેલ લાઇન અપગ્રેડેશન સાથે સંબંધિત છે. CNBC બજારના સૂત્રો દ્વારા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ્સ આશરે રૂ. 20,000 કરોડના ખર્ચે પૂર્ણ થશે. આ રૂ. 4,195 કરોડના ખર્ચે સમગ્ર ભારતમાં 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસની તૈયારીઓનો એક ભાગ છે. આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમૃત ભારત સ્ટેશન (Amrit Bharat Station Scheme) યોજનાને અનુરૂપ છે.
હરિયાણાના 16 સ્ટેશનોનું પણ 608 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવશે. રાજ્યની સંસ્કૃતિ અને વારસાના આધારે તમામ સ્ટેશનોને કાયાકલ્પ કરવામાં આવશે.
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જણાવ્યું હતું કે ચેન્નાઈમાં ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી (ICF) ડિસેમ્બરના અંત સુધીમાં વંદે ભારત ટ્રેનોના સ્લીપર વેરિઅન્ટને ડિઝાઇન કરશે.
પ્રથમ કેટલીક ટ્રેનો માર્ચ 2024 સુધીમાં તૈયાર થઈ જશે. ગયા મહિને, મંત્રીએ કહ્યું હતું કે આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં, વંદે ભારતના ત્રણેય વર્ઝન જેમાં ચેર કાર, વંદે મેટ્રો અને વંદે સ્લીપરનો સમાવેશ થાય છે કાર્યરત થઈ જશે.