UN Report Pakistan Terror: ભારત હંમેશાથી કહેતું આવ્યું છે કે પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્રબિંદુ છે અને હવે આ વાત પર ફરી એકવાર વિશ્વની સૌથી મોટી સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર (UN) એ મહોર મારી છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા આતંકી હુમલાને લઈને યુએન સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) ના તાજેતરના અહેવાલે પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત કુખ્યાત આતંકી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ' (JeM)નો હાથ હતો.



