પાકિસ્તાનની પંજાબ સરકારે બકરી ઈદ પહેલાં અહમદીયા મુસ્લિમ સમુદાય પર કડક નિયંત્રણો લાદ્યા છે. મરિયમ નવાઝની સરકારે આદેશ જારી કર્યો છે કે અહમદીયા સમુદાયના લોકો કુર્બાની કે અન્ય ધાર્મિક રીતરિવાજોમાં ભાગ લેશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશના પગલે અનેક જિલ્લાઓમાં અહમદીયા સમુદાયના લોકોની ધરપકડ પણ થઈ છે. આ ઘટનાએ પાકિસ્તાનમાં ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં લાવ્યો છે.

